________________
ધર્મી અને યુવક વગ
૨૩૫
રાજે રાજ જ્યાં લૂંટ અને ખૂન થતાં હાય, છતાં પણ તમે ત્યાં રહેવાનું પસંદ કરશેા ? ના, એવા સમાજમાં તમે એક દિવસ પણ રહેવાનું પસંદ નહિ કરેા. મીજા સમાજમાં ભલે રેડિયેનુ' સંગીત ન હેાય, પરંતુ આત્માનું તે છે જ, પ્રેમ અને આત્મીયતાને સેવાના પ્રવાહ વહે છે, તે ગ્રામ્ય સંસ્કૃતિવાળા સમાજમાં રહેવાનું તમે પસંદ કરશે યુરોપિયન સંસ્કૃતિ એ પ્રથમ શ્રેણીને સમાજ છે. જ્યાં વિજ્ઞાન ઉન્નતિની છેલ્લી ટોચ સુધી પહેાંચી ગયું છે અને ત્યાં અણુમેમ્મની દોડ લાગી રહી છે. ભારતમાં બીજા પ્રકારના સમાજ છે, જ્યાં ભૌતિક નહિ, પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાનને વિકાસ થયા છે. ધર્મ કલાનેા પ્રચાર અને પ્રસાર થયા છે. કારણ કે સમસ્ત કલાએ ધકલાના અભાવમાં નિષ્ઠાણુ છે. “સવા ધમ્માનિળા.''
<
રામના ઘરમાં ધર્માંકલા જીવિત હતી. એટલા માટે તેના ઘરમાં લેવાની નહિ, પણ દેવાની લડાઈ હતી. રામ કહેતા હતા કે અયેાધ્યાના રાજમુગટ હું નહિ લઉ, જ્યારે ભરત કહેતા હતા કે હું નહિ લઉ. તમારા ઘરમાં લડાઈ લેવાની છે કે દેવાની ? ધર્મ હૃદયમાં પેસી ગયેલી દાનવીય વૃત્તિને બહાર હાંકી કાઢે છે. અને તેમાં માનવતાની પુણ્ય-પ્રતિષ્ઠા કરે છે. બીજા શબ્દોમાં કહું તે ધ દાનવને માનવ બનાવે છે, અને માનવને દેવ !
હવે આપણે વિચારવાનું તે એ છે કે ધર્મનું અસલી રૂપ શું છે ? કેવું છે ? આજસુધી ધર્મની સેંકડા વ્યાખ્યા કરી દેવામાં આવી છે. સેકડા વ્યાખ્યાઓ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org