________________
ધર્મ અને યુવક વર્ગ આજના પ્રવચનને વિષય છે ધર્મ અને આજનો યુવક, થોડીવાર આપણે ધર્મને વિચાર કરીશું ? યુવકે ગભરાઈ જાય નહિ હું ધર્મ પર બેસીને તેમનું ખાવાનું અને પીવાનું બંધ કરવા નથી ઈચ્છતો. બજારમાંથી કેરી લાવ્યા છીએ તે છાલ અને ગેટલા ફેંકી દેવા પડશે. દાડમ લાવ્યા હોઈએ તે તેના દાણા લાવીએ તે તમે જરૂર ખાઈ શકે છે. પણ તેના ઉપરથી છાલ તે ફેંકી દેવી જ પડશે ને ? પણ નાની નાની મીઠી દ્રાક્ષમાંથી તે કંઈ જ ફેંકી દેવાનું છે જ નહિ.
ધર્મ પણ દ્રાક્ષ છે. જેમાંથી બધું જ લેવાનું છે, ખાવાનું છે ફેંકવાનું કે છેડી દેવાનું કશું જ નથી. અરધા રતલનું નાનકડું તુંબડું પણ મણની કાયાને નદીને સામે કાંઠે તારીને લઈ જાય છે. અઢી અક્ષરને આ નાનકડે ધર્મ શબ્દ પણ આત્માને ડૂબવામાંથી બચાવી લે છે.
ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કેपच्छाविते पयाया, खिप्पं गच्छन्ति अमर भवणाइ । जेसि पियो तवो संजमो अ खंतीय बंभचेरं च ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org