SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ જેને સંસ્કૃતિ ૨૧૧ * જૈન સંસ્કૃતિમાં જ્ઞાન અને ચારિત્ર્ય આ બંનેને સરખો આદર કરવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે કે આ બંનેના સમનવયમાં જ જીવની મુક્તિ છે. જ્ઞાન વગર કર્મ આંધળું છે અને કર્મના અભાવથી જ્ઞાન પાંગળું છે. જૈન સંસ્કૃતિની એક બહુ જ મોટી વિશેષતા છે કે-ગુણ, પૂજા, જાતિ કે લિંગને કારણે તે કેઈને ઊંચા કે નીચા નથી માનતી. ભારતમાં એક પ્રભાવશાળી સંપ્રદાય એ છે કે જેની સંસ્કૃતિ ગુણ-પૂજા પર નહીં, જાતિ-પૂજા પર ટકેલી છે. પણ જૈન સંસ્કૃતિ અત્યંત દઢતાપૂર્ણ શબ્દોમાં તેને વિરોધ કરે છે. તે વિરોધ કરતી આવી છે અને વિરોધ કરવામાં સફળતા પણ પ્રાપ્ત કરતી આવી છે. આ ગુણમાં તે તેનાં પોતાના આ મિશનમાં પૂર્ણ સફળતા મળી છે. વાસ્તવમાં જાતિગત ઉચતા-નીચતાને સ્વીકાર કરવો તે ગુણોને તિરસ્કાર કરવા જેવું છે. જ્યારે એક વ્યક્તિ અજ્ઞાન ને દુરાચારી હેવા છતાં પણ અમુક જાતિમાં ઉત્પન્ન થવાને કારણે પૂજ્ય માનવામાં આવે અને બીજે જ્ઞાનવાન તથા સદાચારી હોવા છતાં યે નીચી કહેવાતી જાતિમાં જન્મવાને કારણે જ તિરસ્કૃત દષ્ટિથી જેવામાં આવે છે તે સદ્દગુણોનું અપમાન નહીં તે શું છે ? જ્યારે સગુણનું અપમાન થાય છે ત્યારે લોકો ગુણોની પ્રત્યે ઉપેક્ષાભાવ ધારણ કરે છે. અને તેને પ્રાપ્ત કરવાને તથા વધારવાનો પ્રયત્ન નથી કરતા. પરિણામ એ આવે છે કે જીવન નિર્ગુણ બનતું જાય છે. જૈન સંસ્કૃતિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy