________________
૨૧૦
ધર્મ અને સંસ્કૃતિ માટે તેનું આચરણ થતું આવ્યું છે. અને આજે પણ લાખ તેનાં અનુયાયીઓ છે.
શું એકાંત નિવૃત્તિમય કઈ ધર્મ વ્યવહારમાં લાવી શકાય છે? જે ધર્મમાં નિષેધ જ નિષેધ છે ને વિધેય સહેજ પણ નથી. પણ જીવનશુદ્ધિની દૃષ્ટિએ તે જૈન ધર્મ જ બધાથી યેગ્યધર્મ છે.
સાચી વાત એ છે કે સદાચારનાં બે સ્વરૂપ છેનિવૃત્તિ અને પ્રવૃત્તિ. અકુશળ કર્મથી નિવૃત્ત થવામાં તેમજ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થવામાં જ સદાચારની સમગ્રતા છે. આ બંને બાજુ વગર સદાચારનું સ્વરૂપ સ્થિર થઈ શકતું નથી. આથી જૈન સંસ્કૃતિમાં પ્રવૃત્તિ ને નિવૃત્તિને આ સુંદર સ્વરૂપને સમન્વય કરવામાં આવ્યું છે કે તેમાં કે પારસ્પરિક વિરોધ ન રહે. એટલું જ નહિ, પણ બંને જીવનનાં એક જ પરમ લક્ષ્યનાં સહાયક બની જાય છે. આ આપણે પોતાની કલ્પના નથી, પણ જૈનાચાર્યો કહે છેઃ
असुहा दो विणिक्ती सुहे पवित्तीय जाणचारित्तं ।
અર્થાત્ અશુભમાંથી નિવૃત્તિ અને પ્રવૃત્તિ કરવી તે જ સમ્યફ ચારિત્ર્ય છે.
આમ જૈન સંસ્કૃતિ પ્રવૃત્તિ-નિવૃત્તિના સરખાપણને સ્થાપિત કરતાં કરતાં જ્યાં હિંસા, અસત્ય વગેરે પાપકર્મોમાંથી નિવૃત્ત કરવા માટે બળ દે છે. ત્યાં દયા, દાન, ક્ષમા, સંતેષ, સેવા, સ્વાધ્યાય, ધ્યાન તથા અનેકાન્તમય દૃષ્ટિકોણ વગેરેનાં આચરણની પણ હિમાયત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org