________________
૨૦૦
જૈન સંસ્કૃતિ
સંસ્કૃતિની સતત વહેતી ઘારાઓમાં કેટલાંક એવાં પણ મૂળભૂત ત છે જે સ્થળ, સમય અને પરિસ્થિતિથી પર હોય છે. તેને જીવનને શાશ્વત આદર્શ કહી શકાય. તે મૂળભૂત તો હંમેશાં વિદ્યમાન રહે છે અને તેના આધાર પર વિભિન્ન પરિવર્તન થયા કરે છે.
જૈન સંસ્કૃતિનાં તે મૂળભૂત તો ક્યાં છે ? સંક્ષેપમાં કહીએ તો આચારના ક્ષેત્રમાં, અહિંસા અને વિચારના ક્ષેત્રમાં અનેકાન્તવાદ જ આવાં તરવે છે, જેના આધાર પર જ સમગ્ર જૈન સંસ્કૃતિની રમ્ય ને વિશાળ ઇમારત ઊભેલી છે. જેનોના સમગ્ર ધાર્મિક આચારમાં અહિંસા ઓતપ્રોત થયેલી છે. અને સમગ્ર દાર્શનિક વિચારો પર અનેકાન્તની છાયા દષ્ટિગોચર થાય છે.
ડું વિસ્તારપૂર્વક કહીએ તે કહેવાય કે આપણી ધર્મસંસ્કૃતિનાં બે ચઢે છે નિશ્ચય અને વ્યવહાર. આ બંનેના સહારાથી સંસ્કૃતિની ગાડી આગળ ચાલે છે. આ સંસ્કૃતિનું લક્ષ્યબિંદુ છે કે વિભાવદશાને છોડીને સ્વભાવ દશાની સન્મુખ જવું અને અંતે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું.
કેટલાક લોકોનું કહેવું છે કે જૈનસંસ્કૃતિ નિવૃત્તિનું જ વિધાન કરે છે. પરંતુ જેણે જૈન સાહિત્યના તળિયે જઈને અવલોકન કર્યું છે તે આ મન્તવ્ય સાથે સંમત થઈ શકશે નહિ. જૈનધર્મ એક વ્યવહારુ ધર્મ છે. તે કોરે આદર્શવાદ જ નથી. હરદ્દરના ભૂતકાળથી જીવનશુદ્ધિને
ધ-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org