________________
ધર્મ અને સંસ્કૃતિ કઈ વાત ન થાય એને માન્ય કરવામાં કેઈ હાનિ નથી.
જ્યારે એક સંસ્કૃતિના લોકે બીજી વિભિન્ન સંસકૃતિવાળાઓની સાથે સંપર્કમાં આવે છે, ત્યારે બે સંસ્કૃતિએનું ઘર્ષણ તથા સમન્વય પણ થાય છે, તેનાં મિશ્રણથી બંનેમાં થોડું પરિવર્તન પણ આવે છે. ને પ્રાચીન સંસ્કૃતિએને નવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આમ સંસ્કૃતિની ધારા તે અખંડ સ્વરૂપે પ્રવાહિત જ રહે છે. પરંતુ તેનું સ્થળ ને સમય અનુસાર નવું નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવતું જ રહે છે.
કાલાનુસાર સંસ્કૃતિનું વિભિન્ન સ્વરૂપમાં પરિવર્તન થતું જ રહે છે અને આજ પણ થઈ રહ્યું છે. અને હકીકત એ છે કે તે પરિવર્તનશીલતામાં જ સંસ્કૃતિની સજીવતા સમાયેલી છે. પરિવર્તન વગર કોઈ વસ્તુ અમર નથી બનતી અને સંસ્કૃતિ પણ આ નિયમમાં અપવાદ
રૂપ નથી.
સંસ્કૃતિમાં પરિવર્તન થતું રહેવું અનિવાર્ય જ છે. પણ તે પરિવર્તન હિતકારી ને સુખાકારી રહેવું જોઈએ. તેનાથી વ્યક્તિના ઉત્થાનને માર્ગ તૈયાર જોઈએ અને સાથે સાથે સમાજ તથા દેશનું પણ કલ્યાણ થવું જોઈએ. આ જ સંસ્કૃતિને ઉદ્દેશ છે. જે વિધિ-વિધાનથી અથવા આચારસમૂહથી માનવતા અને માનવજાતિનું કલ્યાણ ન થાય તેને “સંસ્કૃતિનું ગૌરવ પ્રદાન ન કરી શકાય. સંસ્કૃતિ તે તે મેલ કાપનારી એ ચીજ છે કે જેના પ્રયોગથી સમાજ ને વ્યક્તિના જીવનમાં ઉજજવલતા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org