________________
૨૦૪
ધર્મ અને સંસ્કૃતિ આદર નહિ મેળવી શક્યો. વીર અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં તે પહોંચી ગયે, પણ તેના પગ થરથરવા લાગ્યા, કાંપવા લાગ્યા, હોઠ સુકાવા લાગ્યા, માથું ચક્કર ચક્કર ભમવા લાગ્યું. આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું, તે ધનુષ્યને એક બાજુ મૂકીને કહેવા લાગ્યો કે હવે મારાથી યુદ્ધ નહિ થઈ શકે. તેનું ક્ષત્રિયત્વે ઝાંખું પડી ગયું. ત્યારે શ્રીકૃષ્ણની મધુર વાણીએ તેના અતર્માનસમાં કર્તવ્યની જ્યોત જગાવી. અને ત્યારે જ અર્જુન પોતે બોલી ઊડ્યોઃ “હવે મારે મોહ નાશ પામ્યા છે. મારી સ્મૃતિ દર્પણની જેમ સ્વચ્છ થઈ છે.” આ હતો શ્રીકૃષ્ણની વાણીને ચમકાર. જેણે અર્જુનના જીવનનકશાને બદલી દીધે.
મધુર વક્તા સિસને કેણું ભૂલી જઈ શકે તેમ છે? જેની અમૃતરસની ભરેલી વાણીએ ઈટલીના મહાન યુદ્ધને રેકી દીધું હતું અને હજારો નયનમાંથી અવિકલ રૂપે વહેતી અશ્રુધારાને એક ક્ષણમાં અટકાવી થંભાવી દીધી હતી.
વાણી માનવનો શૃંગાર છે. જીવનને સ્વચ્છ અને ચકચકિત રાખવાનું અમૂલ્ય આભૂષણ છે. તેટલા માટે માણસે પિતાના નકામા શબ્દ જ્યાં ત્યાં નહીં વેડફી નાખવા જોઈએ. નિરર્થક બોલવા કરતાં ચૂપ રહેવું તે નિર્બળતા નથી પરંતુ બહુ જ મોટી ખૂબી છે.
કેઈ વિદ્વાને કહ્યું છે કે “ જ્યાં કાગડા કાકા કરી રહ્યા હોય ત્યાં કોયલનું પૂજન કેણ રાંભળે છે ? જ્યાં દુજન વાદવિવાદમાં લીન હેય ત્યાં સજજને મૌન રાખવું એ જ શ્રેયસ્કર છે.” બીજા એક વિદ્વાને કહ્યું છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org