________________
૨૦૦
ધર્મ અને સંસ્કૃતિ ધર્મ સંસ્કાર નથી. કારણ કે ધર્મ સંસ્કારનું વિસર્જન છે. સંસ્કાર બહારથી આવે છે. જે બહારથી આવે છે તે પિતાના નથી થઈ શકતા. તે આપણું સ્વરૂપ પર પડદાનું જ કામ કરે છે. ધર્મ આત્માનું સ્વરૂપ છે.
આચાર્ય કુન્દકુન્દ કહ્યું છે : વધુ સદાવો ઘમ્મો કહ્યું છે. સ્વરૂપને પામવા માટે વિરૂપને છોડવું પડશે. વાસ્તવમાં છેડવાનું નથી, પણ છૂટી જાય છે. જ્યારે આપણે પિતા તરફ આવીએ છીએ તે જે પર છે તે છૂટી જાય છે. માત્ર થોડું જ ઉપર ચઢવાનું છે. એ, સમુદ્રનું ખારું બિંદુ, સૂર્યના કિરણેના સહારાથી પ્રકાશમાં સહેજ જ ઉપર આવી જા, તું ચિરમાધુર્યનું દાન પામી જઈશ. તું તે મધુર જ છે, ખારાશ તે બહારની છે તે ઉપર ઊઠતાં જ ચાલી ગઈ. કારણ કે જે પિતાનું નથી તે ઉપર આવી જ નથી શકતું. ખારાશ છોડવાની છે, અને મધુરતા મેળવવી છે. વાસ્તવમાં છેડવાનું નથી, પણ મેળવવાનું જ છે. કારણ કે જે છોડવાનું છે તે બહારનું છે, કચરે છે.
આપણે પણ ઊંચા આવીએ. વિભાવદશાથી બધું જ નીચે રહી જશે અને આપણે જીવનની મધુરતા મેળવીશું. તે બધાં જ પર છે ને પરાયા કદીયે પિતાના નથી થઈ શકતા. આપણા જીવનનું માધુર્ય આપણી પાસે જ છે. તેને છેડવાનું નથી. વાસ્તવમાં જે છોડવામાં આવે છે તે કચરો જ હોય છે. આચાર્ય રજનીદાના શબ્દોમાં કહું તે છેડવું તે પથ્થર છે અને મેળવવું હીરે છે. અંધકાર છોડીને પ્રકાશ મેળવે છે. મૃતને છેડીને અમૃતને મેળવવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org