________________
૧૯૯
સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મ અક્ષયકે છે. તેમાં લાખો કરે જ નહિ બલકે અનન્ય સંસ્કારે ભરેલા છે. તે સંસ્કારોનો જ ખજાને છે.
મનનાં બે સ્વરૂપે છે. એક જાગૃત ને બીજું સુષુપ્ત; એક ચેતન અને બીજુ જડ. અચેતન મન સંસ્કારનું કેન્દ્ર છે. રૂપકની ભાષામાં કહું તે મન રેકર્ડ છે. જેમાં કંઈયે દેખાતું નથી. પણ જેમાં ભરેલું બધું જ છે. સેય લાગતાં જ રેકર્ડ ચાલવા લાગે છે. બસ આવી જ વાત આપણા મનની છે. જેમાં કંઈ દેખાતું નથી. પણ એમાં જ બધું ભરેલું છે. કઈ પ્રસંગ કે ઘટનાની સેય લાગતાં જ તે પણ બેલવા લાગે છે. બધી જ સ્મૃતિઓ સજીવ બની જાય છે.
આપણે સંસ્કારમાં જ જીવીએ છીએ અને સંસ્કારોમાં જ વિશ્વના પ્લેટફોર્મ ઉપરથી વિદાય લઈએ છીએ. બાધ્યસ્વરૂપે આપણે બધુ જ છેડી દઈએ છીએ, પણ વાસ્તવમાં સંસ્કારરૂપમાં તે બધું જ હંમેશાં આપણું અંદર રહે છે. જૈનદર્શન તેને ભાવકર્મ કહે છે. તથાગત તેને વાસના કહે છે. શબ્દ ગમે તે આપીએ પણ વાસ્તવમાં તે સંસ્કાર જ છે.
આપણે જે કંઈ છીએ તે સંસ્કારોનું જ ફળ છે. આપણે કેટલુંક સાથે લાવીએ છીએ, કેટલુંક ગ્રહણ કરીએ છીએ અને તેઓને જોરથી પકડી રાખીએ છીએ. કઈ તેને રાષ્ટ્રિયતાના નામથી પકડે છે, કઈ જાતિયતાના નામથી. અમુક પ્રકારનું ભજન, ભાષા અને વ્યવહાર આપણું સંસ્કારેને અનુકૂળ હોય છે, તે તેને ધર્મના રૂપમાં સ્વીકારી લઈએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org