________________
સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મ
સભ્યતા, સંસ્કૃતિ ને ધર્મ આ ત્રણ શબ્દ છે. સભ્યતા માત્ર શરીર સુધી જ સીમિત” છે. તે શરીરને શૃંગારિત કરવામાં જ માને છે. શરીરને માટે જરૂરી એવાં પ્રસાધનને એકત્ર કરે છે. પણ તે મિથ્યા છે. કારણ કે તેને આધાર પણ મિથ્યા છે. જ્યારે વૃક્ષ જ જમીનદોસ્ત થઈ જાય ત્યારે છાયા તે ક્યાંથી જ ટકે ? શરીર જ વૃક્ષ છે ને સભ્યતા તેની છાયા.
સંસ્કૃતિ સભ્યતાના અંતથી શરૂ થાય છે. જ્યાં સભ્યતાની મંજિલ પૂરી થાય છે ત્યાં જ સંસ્કૃતિ આગળ વધીને મનનું દ્વાર ખોલે છે. તે શરીરને નહીં પણ મનને ઊજળું કરે છે. સાચા અર્થમાં જોઈએ તો મન ને સંસ્કૃતિ જુદાં નથી. સંસ્કૃતિ સંસ્કારનો પ્રવાહ છે, મન તે સંસ્કારનું કેન્દ્ર છે. હું મનને જોઈ રહ્યો છું, તેમાં વિચારાના તરંગે આવે છે. વિલીન થઈ જાય છે. પણ સાગર તે વિલીન થતું નથી. વિચાર તરંગ છે તે મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org