________________
ભારતીય સંસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ
૧૯૫ પરંપરાનું સમર્થન બધા જ તીર્થકરો તથા તેમના અનુગામીઓએ કર્યું.
ત્યારબાદ અમુક અમુક સમયે ધર્મની ઉત્પત્તિ અને સ્થિતિના સંબંધમાં અનેક વ્યાખ્યાઓ ઘડાતી ગઈ. વ્યાસ, કણાદ તથા ગૌતમ તેમજ અઢારમી સદી પછી પાશિમાત્ય વિદ્વાન દ્વારા પણ ધર્મની અનેકવિધ ભૌતિક તથા આધ્યાત્મિક વ્યાખ્યાઓ થતી રહી. પૌર્વાત્ય વિદ્વજજોએ કહેલી વ્યાખ્યા આધ્યાત્મિક તત્વનું અનુગમન કરે છે. પશ્ચિમનું દૃષ્ટિબિંદુ ભૌતિક રહ્યું છે અને તેઓ અનૈતિહાસિક વ્યાખ્યાતા હતા. ભારતને ચાર્વાક સંપ્રદાય પણ ભૌતિક વ્યાખ્યાતા હતો. પશ્ચિમના પંડિતેમાંથી ફાયર, બાન, હેગલ, કાન્ટ, રમાકર, જેમ્સ અને જેના હધૂમ વગેરેને ધર્મોત્પત્તિ વિષય સંબંધી જે મંત આપ્યાં છે તે ભૌતિકવાદ પર આધારિત છે. તેઓનું માનવું એમ છે કે ધર્મની પ્રાપ્તિ માનવીને અલૌકિક દિવ્ય વિભૂતિથી મળેલી નથી. માનવે પિતાની સ્વાભાવિક ભાવના તથા આકાંક્ષા દ્વારા તેનું નિર્માણ કર્યું, જેમાં બૌદ્ધિક યોગ વિશેષ હતું. તેઓ એમ પણ માને છે કે ધર્મના અલૌકિક અને દિવ્ય સ્વરૂપનું વસ્તુસ્થિતિના વિપર્યાસમાંથી નિર્માણ થયું છે. ભેળા મનનું આ કાવ્યમય ગાંડપણ છે. સત્ય નિયમના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલે આ ભ્રમ છે વગેરે. આમ છતાં તે એટલી વાતને તો સ્વીકાર કરે છે કે ધર્મે માનવ જીવનને ઉદાત્ત બતાવવાને પ્રયત્ન તે જરૂર કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org