SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેક ધર્મને અનુયાયી પિતા થકી આચરવામાં આવતી પ્રણાલી અથવા રૂઢિને જ ધર્મનું મૂળ રૂપ બતાવે છે અને અપેક્ષિત જ્ઞાનની અપૂર્ણતાને કારણે બીજાના સિદ્ધાંતને ભૂલભરેલા અથવા બેટા છે એમ બતાવે છે. આ કઈ કંઈ ઐતિહાસિક સમીક્ષા ન કહેવાય. તેને તે સાંપ્રદાયિક વ્યામોહ જ કહી શકાય. કેઈપણ ધર્મ અસત્ય ઉપર ટકી નથી શકતે. સચ્ચાઈથી લગભગ બધાજ વીંટળાયેલા છે. જેને પિતાની સાધનામાં જેટલૅ અંશે સફળતા પ્રાપ્ત થઈ તે જ અનુભવને તેમણે વ્યકત કર્યો છે. આવા માનવકૃત પ્રયત્નોને સત્યની ચરમ સીમા માનવી એ શું ચોગ્ય ગણાશે કે ? આંતર રાષ્ટ્રીય દૃષ્ટિથી ધર્મોદય અને તેની સમીક્ષા પર વિચાર કરીએ તો એટલી વાત સ્વીકારવી પડશે કે ધર્મ–સમીક્ષાને ઉદય ભારતવર્ષમાં જ થ. ધર્મોત્પત્તિ વિષયક જૈન માન્યતા અનુસાર એમ કહી શકાય તેમ છે કે માનવ સમાજમાં સુખ અને શાંતિ કાયમ રાખવા માટે ભગવાન ઋષભદેવે ધર્મને સૂત્રપાત કર્યો. તેની મુખ્ય બાજુ આધ્યાત્મિક હતી. અહિક બાજુ પણ સર્વથા અનુપ્રેક્ષણીય રહી ન હતી. માનવી સમષ્ટિગત પ્રાણી હોવાને કારણે તેના પ્રત્યેક વ્યવહારને પ્રભાવ સમાજ પર પડે છે, અને સામાજિક સુખસમૃદ્ધિના વિકાસ વિના ભૌતિક વિકાસ પણ અશક્ય છે. ઋષભદેવ એટલા દીર્ઘદશી હતા કે તેમણે આત્મકલ્યાણની સાથે વિશ્વવ્યવસ્થા પર પણ પૂર્ણ રીતે ધ્યાન આપ્યું. તેમના દ્વારા પ્રવર્તિત ધર્મ બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy