________________
૧૯૦
ધર્મ અને સંસ્કૃતિ પિતાને અનુકૂળ તને જ ધારણ કરે છે અને તે જ આગળ જતાં તેની દષ્ટિએ ધર્મ બની જાય છે. - જૈન દર્શન બહુ જ વ્યાપક અને વ્યક્તિ સ્વાતંત્ર્યમૂલક દર્શનના રૂપમાં ઘણા પ્રાચીન કાળથી પ્રતિષ્ઠિત રહેલું છે. પ્રાણીમાત્રનો સર્વોદય એ જ આ દર્શનનું કામ્ય છે, લક્ષ્ય છે, દયેય છે. તે માનવ માનવ વચ્ચે ઊંચાપણું અને નીચાપણાની કલ્પનાનું વિધી છે. તે પ્રાણીમાત્રના વિકાસને માગ પ્રશસ્ત કરે છે. તે એટલી કાન્તિકારી ઘેષણ કરે છે કે પોતાના ઉત્થાન-પતનમાં કેઈને સાધકબાધક નથી માનતું. તે પોતાની શ્રદ્ધા માટે, વિશ્વાસ માટે, ઈશ્વર સુદ્ધાંની પરાધીનતા તે લગીરેય સ્વીકારતું નથી તેમાં શ્રદ્ધા રાખતું ઉત્થાન-પતનની જવાબદારી વ્યક્તિના પુરુષાર્થ પર અવલંબિત માને છે. વરદાન અથવા અભિશાપ જેવી કઈ વસ્તુ જૈન દર્શનમાં ઉઝરીને આગળ વધી શકી નથી. અવતારવાદને પણ તે અસ્વીકાર કરે છે. તે મનુષ્યને એટલું વિકસિત પ્રાણી માને છે કે તેને પરમાત્મા બનવા સુધીના અધિકાર મળેલા છે. પરમાત્મા અને માનવીમાં કેવળ એટલો જ ફરક છે કે પરમાત્માએ પ્રકાશનું પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું છે જ્યારે માનવ પોતાની અંદર રહેલા પ્રકાશને આવરણ દ્વારા ઢાંકેલે રાખવાને કારણે જ તે માનવ બન્યું છે. જે માણસ ઈછે તે તે વિશિષ્ટ આધ્યાત્મિક પુરુષાર્થ દ્વારા અનાવૃત બનીને-આવરણને દૂર કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે.
જ્યાં ત્યાગમૂલક જીવનયાપન કરનારા મનીષીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org