________________
૧૮૮
ધર્મ અને સંસ્કૃતિ ગયેલી પરિસ્થિતિઓમાં પણ બાહ્ય વ્યવહારથી પરિવર્તન કરી આપણું મૂળ વસ્તુની રક્ષા જરૂ૨ કરી શકીએ. - આ પરિવર્તન કેવળ જીવનશકિત જ પ્રદાન કરે છે એમ નથી, પરંતુ વિચારમાં પણ ક્રાતિ ઉત્પન્ન કરે છે. ધર્મની પરિભાષા :
અત્યધિક આમિક વસ્તુને પરિભાષામાં–વ્યાખ્યામાં બાંધવી ઘણી મુશ્કેલ હોય છે, કારણ કે અધિક ચર્ચાસ્પદ વસ્તુને જ્યારે જીવન સાથે સંબંધ ક્ષીણ થવા લાગે છે, ત્યારે માણસ તેને વ્યાખ્યા દ્વારા સ્થાયિત્વ રૂપ આપવાનો પ્રયત્ન કરે છે. ધર્મની લગભગ એ જ સ્થિતિ છે. કારણ કે ધર્મની ચર્ચા શબ્દો દ્વારા તે બહુ જ થતી હોય છે પણ જીવનની સાથે ઊંડો સંબંધ બહુ જ અલ્પ રહેતું હોય છે. આ જાતના વાણીવિલાસનો વ્યાપક પ્રભાવ ત્યાં સુધી ફેલાયેલું છે કે અભણ અથવા ધર્મના સંબંધમાં અત્યંત જ્ઞાન રાખનાર મનુષ્ય પણ બ્રહ્મ, મેક્ષ તથા અનેકાન્તવાદની ચર્ચા કરતાં થાકતા નથી.....પ્રમાણિકપણે જે જોવામાં આવે તો ધર્મ કેવળ વાણી સુધી જ મર્યાદિત રહેનાર તત્વ નથી, પરંતુ તેના સિદ્ધાંત દૈનિક જીવનમાં ઓતપ્રોત રહેવા જોઈએ. ધર્મના મર્મ સુધી બહુ જ ઓછા માણસે પહોંચી શકે છે. બાકી જેનામાં પહોંચવાની શક્તિ છે, જે પહોંચી શકે છે તેઓની વાણી માટે ભાગે મૌન રહે છે.
ભારતમાં સાચે જ ધર્મની બહુલતા છે. તેની વ્યાખ્યા કરનારા વ્યાખ્યાકાર પણ અનેક છે. કોઈ દર્શન દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org