________________
૧૯
ભારતીય સંસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ ભારતવર્ષમાં ધર્મ :
ઘણું જ પ્રાચીન કાળથી ભારતની ખ્યાતિ એક ધર્મપ્રધાન દેશરૂપે રહી છે. અહીંની સંસ્કૃતિ અને સભ્યતાનું પાલન-પોષણ અને વિકાસ ધર્મના મૂલ્યવાન સિદ્ધાંતોના આધાર પર જ થયે છે. ઋષિમુનિઓ તથા તત્ત્વજ્ઞાનીઓએ તપોવનમાં રહીને ત્યાગમૂલક જીવન વ્યતીત કરતાં કરતાં જે અનુભૂતિઓ પ્રાપ્ત કરી તેનું વ્યકિતકરણ પણ મોટે ભાગે ધર્મના માધ્યમથી જ થયું છે. ધર્મને સંબંધ ભલે આત્મસ્થ હોય પણ તે એક સામાજિક વસ્તુ છે. સમાજ ઈતિહાસ–બદ્ધ સંસ્થા છે. જે સ્વયં પોતા થકી જ એક વિજ્ઞાન છે. તેથી સમાજના અંતરામાનું યાચિત પિષણ જે ધર્મ દ્વારા થતું હોય તે બહારની આવશ્યકતાઓની પૂતિ વિજ્ઞાન દ્વારા થાય છે તેથી ધર્મ અને વિજ્ઞાનને સમીક્ષાત્મક દષ્ટિથી ભિન્ન ભિન્ન માનવા એ બુદ્ધિમત્તાનું લક્ષણ નથી. ધર્મ જીવનનું એક એવું મહત્વપૂર્ણ અંગ છે કે જ્યાં માનવી થોડી ક્ષણેને માટે પોતાની જાતને સાંસારિક યંત્રણાઓથી મુક્ત થયેલ જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org