________________
ધર્મ અને સંસ્કૃતિ પૂજા કરે છે, વિદ્યાગુરુ બૃહસ્પતિની નહિ. શક્તિના ઉપાસકે દેવી દુર્ગાની પૂજા કરે છે, અન્ય કઈ શક્તિશાળી દેવની નહિ. આ પ્રમાણે ધન, વિદ્યા અને બળ માટે દેવીઓની પૂજા કરવામાં આવે છે. કોઈ દેવની પૂજા કરવામાં આવતી નથી. તેમાં પણ સ્ત્રી પૂજાની વિશેષતા જ જોવામાં આવે છે. દેવોનાં નામ પણ જોઈએ તે તેમાં પણ સ્ત્રીઓને પ્રથમ સ્થાન મળેલું છે. જેમકે ગૌરીશંકર, રાધાકૃષ્ણ, સીતારામ, લક્ષમીનારાયણ. પશુઓ માં પણ ગાય પૂજાય છે, બળદ નહિ. આ રીતે સર્વત્ર નારીનું સન્માન જ નજરે પડતું હોય છે. માનવ સમાજમાં પણ એવું જ સ્ત્રી-સન્માન હે વું જોઈએ.
- પતિ માટે ચરિત્ર, સંતાન માટે મમતા, સમાજ માટે શીલ, વિશ્વ માટે દયા તથા જીવમાત્ર માટે કરુણાપ્રદાન શક્તિનું નામ જ નારી છે.
નારીની ઉન્નતિમાં સમાજની ઉન્નતિ છે. નારીના જયમાં સમાજને જાય છે. નારીના કલ્યાણમાં સમાજનું કલ્યાણ છે. જય હો નારીને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org