SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃતિમાં નારીનું મહત્ત્વ ૧૭૭ 'जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी' માતા અને જમભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય છે, ત્યાં નરક પેદા થઈ જાય છે. જે કુટુંબમાં વહુ દીકરી દુઃખ પામે છે તે કુટુંબ નાશ પામે છે. આપણા શરીરમાં મહત્ત્વપૂર્ણ સ્થાન નાડીનું રહ્યું છે. નાડી જ્યાં સુધી બરાબર રીતે ચાલતી રહે છે, ત્યાં સુધી માણસનું સ્વાથ્ય સારું રહે છે. પરંતુ જ્યારે નાડીમાં ગરબડ ઊભી થાય છે ત્યારે સ્વાથ્ય પણ બગડી જાય છે અને ક્યારેક ક્યારેક નાડીના ધબકારા વધારે પડતા થઈ જાય છે, વધી જાય છે અને જિંદગી પણ જોખમમાં આવી પડે છે. આ પ્રમાણે નાડીની સ્વસ્થતા અસ્વસ્થતા પર જ શરીરની સ્વસ્થતા અને અસ્વસ્થતાનો આધાર રહે આવ્યો છે. જે સ્થાન શરીરમાં નાડીનું છે, એ જ સ્થાન સમાજમાં નારીનું છે. નારી સંસ્કારી હશે, તે સમાજ પણ સંસ્કારી બનશે. નારી અશિક્ષિત, અસંસ્કારી અને અણસમજુ હશે તે સમાજ પણ એ જ બનશે. નારીની સ્વસ્થતા ઉપર જ સમસ્ત સમાજના સ્વાધ્યનો આધાર રહેલો છે. એ વાત તે સૌ કોઈ જાણે છે કે જ્યારે લોકોને ધન જોઈએ ત્યારે તેઓ લકમીની પૂજા કરે છે, કુબેરની નહિ. વિદ્યાના અભિલાષી લોકે વિદ્યા માટે સરસ્વતીની ધ-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy