SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ જૈન સંસ્કૃતિમાં નારીનું મહત્વ સ્થાન આપ્યું છે. જેનોના ચોવીસ તીર્થકરોમાં ૧૮મા તીર્થકર છે, ભગવતી મલ્લિકુમારી. જે ધર્મે સ્ત્રીને તીર્થકર પણ બનાવી દીધી તે સ્ત્રીને બીજે કર્યો અધિકાર નહિ આપે ? : સ્ત્રીની સમાનતા અને પ્રધાનતાનાં ઉદાહરણથી જેનાગામ ભરેલાં છે. આ કાલચક્રમાં સૌથી પહેલાં મોક્ષમાં જનારી એક નારી જ હતી. અને તે હતી પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવની માતા મરુદેવી. ભગવાન ઋષભદેવને ભરત અને બાહુબલિ સરખા સે પુત્ર હોવા છતાં તેમણે સૌથી પ્રથમ અક્ષરજ્ઞાન પિતાની કન્યા બ્રાહ્મી સુંદરીને જ આપ્યું. બ્રાહ્મીના નામથી જ લિપિનું નામ પણ બ્રાહ્મી લિપિ પડી ગયું છે. આ રીતે જૈનધર્મો નારીને તેનું ઉચિત અને આગળ પડતું સ્થાન આપ્યું છે, પ્રધાનતા આપી છે. બાહુબલિને માનરૂપી અરાવત હાથી ઉપરથી ઉતારનારી બ્રાહ્યી સુંદરી જ છે. રહનેમીને ચારિત્રમાંથી વિચલિત થતાં રાજમતીએ જ બચાવ્યા હતા. રાજ મતીએ તેમને કહ્યું હતું, “તમે ચારિત્ર્યમાંથી ચલાયમાન થાય તેના કરતાં તમારું મૃત્યુ જ શ્રેયસ્કર છે. તેનાં તેજસ્વી વચને સાંભળીને અંકુશ વડે હાથી જેમ વશ થઈ જાય છે, તેવી જ રીતે રહને મી ચારિત્રમાં સ્થિર થઈ ગયા. રાણું કમલાવતી ઇક્ષુકાર રાજાને જે શબ્દો કહે છે તે શબ્દ પણ નારીની તેજસ્વિતાને સિદ્ધ કરે છે. તે કહે છે કે, બીજાના ત્યાજ્ય કરેલા ધનને લેવું એ તો બીજાએ ઊલટી કરેલા ખોરાકને ખાવા જેવું છે. અને બીજાનું વમન કરેલું અન્ન ખાવું એ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy