SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ધર્મ અને સંસ્કૃતિ ચીજ બનેલી નારીને મુક્તિ આપી. ભેટ આપવાની ચીજ બનેલી નારીને આત્મવિકાસની ઊજળી તક આપી. ભોગસાધન બનેલી નારીને ભવ્યતા આપી. જડતાની પ્રતિમૂર્તિ બનેલી નારીને ચિતન્ય આપ્યું. ભગવાન મહાવીરે તીર્થની સ્થાપના કરી. તે તીર્થનાં ચાર અંગ બનાવ્યાં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ તીર્થમાં જેટલું મહત્ત્વ સાધુને છે તેટલું મહત્ત્વ સાધ્વીને પણ છે અને જેટલું મહવ શ્રાવકને આપ્યું છે તેટલું શ્રાવિકાને પણ આપ્યું છે. વિશ્વના તમામ ધર્મોની અપેક્ષા સાધ્વી બનીને આત્મશુદ્ધિ, આત્મકલ્યાણ તથા આત્મસાક્ષાત્કાર કરવાને સમાન અધિકાર આપીને જૈન ધર્મે સ્ત્રીઓની પ્રતિષ્ઠા વધારી. આ પ્રમાણે સ્ત્રી-પુરુષની સમાનતા આ તીર્થન આઠશ બની. ભગવાન મહાવીરના આ સંઘમાં પુરુષની જેમજ યુગયુગથી તિરસ્કાર પામેલી નારીને પણ પુરુષ સમાન દરજજો મળે. તેમણે ગુલામરૂપે વેચાયેલી ચંદનાને પિતાના સંઘમાં લઈને પ્રવર્તિનીનું સ્થાન આપ્યું. અને શ્રમણી સંઘનું નેતૃત્વ એ મહાસતી ચંદનાને ઍપ્યું. આ રીતે જૈન ધર્મમાં સ્ત્રી-સમાજને ધર્મને સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યું છે. પુરુષ અને નારી વચ્ચે જરા પણ ભેદભાવ જૈન શાસ્ત્રમાં જોવામાં આવતું નથી. આજકાલની નારી વ્યવસ્થા જેવી રીતે સ્ત્રીને ગવર્નર, પ્રધાન મંત્રી, અને એડવર્ડ તથા જેનું સ્થાન આપે છે તેવી જ રીતે જૈન ધર્મો અવતારી પુરુષમાં પોતાના તીર્થકરોમાં પણ નારીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy