________________
જેને સંસ્કૃતિમાં નારીનું મહત્વ
૧૭૩ વૈદિક પરંપરામાં નારીને આત્મવિકાસ માટે અવકાશ જ ન મળ્યો; તેમ જ તેમને સામાજિક અધિકાર મળ્યા કે ન ધાર્મિક અધિકાર મળ્યા. વૈદિક ધર્મગુરુઓએ ઉષણ પણ કરી કે – '
સ્ત્રીરા વેઢમીતા” સ્ત્રી અને શુદ્રને વેદ ભણવાને અધિકાર નથી. સ્ત્રીઓને કોઈપણ ધર્મગ્રન્થ વાંચવાનો અધિકાર ન હતે. ધર્મ શ્રવણ કરવાને પણ અધિકાર ન હતું. અને ધાર્મિક ક્રિયાકાંડ પણ સ્ત્રીઓ કરી શકતી ન હતી. સ્ત્રીઓ અને શૂદ્રો બંનેને સમાન ગણવામાં આવતા હતા.
બૌદ્ધ પરંપરામાં પણ નારીને મુક્ત સ્થાન નહેતું મળ્યું. મહાતમા બુદ્ધ અનિચ્છાથી પોતાના પ્રિય શિષ્ય આનંદના બહુ જ આગ્રહથી નારીને સંઘમાં દીક્ષિત કરી અને કહ્યું, “આનંદ, સંઘ વસ્તુતઃ હજારો વર્ષો સુધી જીવિત રહેત, પરંતુ તેમાં નારીને પ્રવેશ થવાથી તેનું આયુષ્ય ક્ષીણ થઈ જશે. અને હવે તે પાંચસે વર્ષોથી વધારે નહિ ચાલી શકે.” આ પ્રમાણે બૌદ્ધ પરંપરામાં પણ નારી ઉપેક્ષિત જ રહી.
જૈન ધર્મમાં નારીને આદિકાળથી જ મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. જૈન ધર્મ નારીના વિકાસના બધા જ માર્ગો ખોલી નાખ્યા. અને ગુલામરૂપે બનેલી નારીનાં બધાં બંધન કાપી નાખી તેને ગૌરવ આપ્યું. પુરુષોના મનને આનંદ આપનારી, તેના દિલને બહેલાવનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org