SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ધર્મ અને સંસ્કૃતિ સ્ત્રીઓની આ દયનીય દશા હતી. પુરુષ સેંકડે હજારે સ્ત્રીઓને પોતાની ભેગસામગ્રી બનાવી શકતો હતો. ત્યારે સ્ત્રી એક પુરુષ સિવાય બીજા પુરુષની સામે નજર પણ માંડી શકતી ન હતી. અને ભૂલથી તે પરપુરુષને કદાચ જોઈ લે તે દંડની અધિકારિણી બની જતી હતી. સતીપ્રથા એ નારી વિડમ્બનાની ચરમ-છેલ્લી સીમા હતી. પતિ મર્યા બાદ સ્ત્રીને બળજબરીથી પુરુષની સાથે તેને જીવતી બાળી મૂકવામાં આવતી હતી. આજની જાગૃત નારીના દિલમાં એ પ્રશ્ન ઊઠે છે કે સ્ત્રીના મર્યા પછી પુરુષ પણ કઈ રીતે જીવતો રહી શકતું હતું ? તેને પણ સતીપ્રથાને નિયમ કેમ લાગુ પડતું ન હતું ? સ્ત્રીઓની એવી વિષમ હાલત ચાલી આવતી હતી સારા સારા સાત્વિક કવિઓના મુખમાંથી પણ એવા એવા ઉગારે નીકળે છે કે જે સ્ત્રી-સમાજની પ્રત્યે ઘણું અભિવ્યકત કરે છે. એક કવિના શબ્દો છે - નાગણ સો નારી જાણ મતલબ કે સ્ત્રીને નાગણી સમજે. પરંતુ ખરું જોતા સ્ત્રી નાગણ નથી, નાગણે તે પુરુષની વાસના છે. કવિ તુલસીદાસજી પણ કહી ગયા છે :'शूद्र गंवार ढोल पशु नारी ये सब ताड़नके अधिकारी' આ પ્રમાણે સ્ત્રી અને પુરુષના આત્મામાં અને આત્માની શક્તિમાં કંઈ પણ તફાવત ન હોવા છતાં પણ સ્ત્રીઓ હમેશાં અપમાનિત થતી આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy