________________
૧૭૨
ધર્મ અને સંસ્કૃતિ સ્ત્રીઓની આ દયનીય દશા હતી. પુરુષ સેંકડે હજારે સ્ત્રીઓને પોતાની ભેગસામગ્રી બનાવી શકતો હતો. ત્યારે સ્ત્રી એક પુરુષ સિવાય બીજા પુરુષની સામે નજર પણ માંડી શકતી ન હતી. અને ભૂલથી તે પરપુરુષને કદાચ જોઈ લે તે દંડની અધિકારિણી બની જતી હતી.
સતીપ્રથા એ નારી વિડમ્બનાની ચરમ-છેલ્લી સીમા હતી. પતિ મર્યા બાદ સ્ત્રીને બળજબરીથી પુરુષની સાથે તેને જીવતી બાળી મૂકવામાં આવતી હતી. આજની જાગૃત નારીના દિલમાં એ પ્રશ્ન ઊઠે છે કે સ્ત્રીના મર્યા પછી પુરુષ પણ કઈ રીતે જીવતો રહી શકતું હતું ? તેને પણ સતીપ્રથાને નિયમ કેમ લાગુ પડતું ન હતું ? સ્ત્રીઓની એવી વિષમ હાલત ચાલી આવતી હતી સારા સારા સાત્વિક કવિઓના મુખમાંથી પણ એવા એવા ઉગારે નીકળે છે કે જે સ્ત્રી-સમાજની પ્રત્યે ઘણું અભિવ્યકત કરે છે. એક કવિના શબ્દો છે -
નાગણ સો નારી જાણ મતલબ કે સ્ત્રીને નાગણી સમજે. પરંતુ ખરું જોતા સ્ત્રી નાગણ નથી, નાગણે તે પુરુષની વાસના છે.
કવિ તુલસીદાસજી પણ કહી ગયા છે :'शूद्र गंवार ढोल पशु नारी ये सब ताड़नके अधिकारी'
આ પ્રમાણે સ્ત્રી અને પુરુષના આત્મામાં અને આત્માની શક્તિમાં કંઈ પણ તફાવત ન હોવા છતાં પણ સ્ત્રીઓ હમેશાં અપમાનિત થતી આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org