________________
૧૭
જૈન સસ્કૃતિમાં નારીનું મહત્ત્વ
ભારતીય સંસ્કૃતિ અને સમાજના વિકાસમાં નારીને મહત્ત્વપૂર્ણ ફાળેા રહ્યો છે. તે સમાજ અને સસ્કૃતિની પ્રેરણા છે, ચેતના છે અને બુદ્ધિ છે. તે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી છે. તે નરની ખાણ છે, નૃસિંહની જનની છે અને શક્તિની પ્રતીક છે. પણ અત્યંત દુઃખ અને પરિતાપની વાત છે કે પાષાણયુગથી માંડીને વર્તમાન સ્ફુટનિક ચુગ સુધી નારીને અનેક સ્વાર્થી વ્યક્તિએ દ્વારા બિછાવેલા કાંટાભર્યાં માર્ગ ઉપર થઇને ચાલવું પડયું છે.
વસ્ત્રાભૂષણની જેમ નારી પણ એક ભાગવલાસની નિર્જીવ ચીજ જ માનવામાં આવતી હતી તેનામાં કાઈ સ્વતંત્ર વિચારશક્તિ છે, તેને મન છે અથવા તેને કેાઈ ઇચ્છાશક્તિ હોઈ શકે છે એ વાત કેાઈના પણ ખ્યાલમાં આવતી ન હતી. નારી કેવળ પુરુષના ભાગનું સાધન માત્ર છે એ જડ માન્યતા લેાકેાના મગજમાં સજ્જડ રીતે એસી ગઈ હતી. તેના સ્વતંત્ર વ્યક્તિત્વના વિકાસની ઝાંખી પણ કોઈને નહાતી થતી. આ ભાગવિલાસના સાધનરૂપ ગણવામાં આવતી નારીની દશા એ હતી કે ક્ષત્રિયનરેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org