SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિ અને યથાર્થવાદ માંગ અથવા આવશ્યકતાની પૂર્તિ કરવાનું સામર્થ્ય ખેાઈ બેસે છે તેનું અસ્તિત્વ જોખમમાં પડી જાય છે. અન્ય અનેક ધર્મોનું અસ્તિત્વ એ જ કારણે ખતરામાં પડી જઈને ઈતિહાસમાં તેઓ નામશેષ થઈ ગયા છે. ઇતિહાસને આ એક પડકાર છે અથવા ચેતવણી છે. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ તથા બ્રાહ્મણ ધર્મની જેમ પતનમુખી ન હેઈને સદેવ ઉત્કાન્તિમૂલક રહ્યો છે અને તેનું અસ્તિત્વ યુગ-યુગાન્તરની વિનાશકારી પરિસ્થિતિઓમાં પણ ટકી રહ્યું છે તે કારણે તેને ઈતિહાસના આ પડકાર અથવા ચેતવણી પર સમય આવતાં ધ્યાન આપવું જોઈએ. સ્પષ્ટ શબ્દોમાં એમ કહેવું વધારે ચેશ્ય થશે કે જ્યારે સમાજમાં ધર્મથી નિરાશ થઈને ધર્મનિરપેક્ષ ભાવના પ્રબળ થઈ રહી છે ત્યારે જૈન ધર્મના અનુયાયીઓએ એ સિદ્ધ કરી દેવું જોઈએ કે તેમને ધર્મવિકાસે મુખી છે અને તે કારણે તે હમેશાં પરિવર્તનશીલ રહ્યો છે. દરેક યુગની માંગ અને આવશ્યકતાની પૂર્તિ તેણે કરી છે અને આજ પણ તેનામાં રાષ્ટ્રધર્મ બનવાની ક્ષમતા વિદ્યમાન છે. આ મહાવીરના યથાર્થવાદી દષ્ટિકેણુપરક ધર્માધાર પર રહેતાં વિચારેલું મારાં ચિંતન અને સંદેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy