________________
સંસ્કૃતિ અને યથા વાદ
૧૬૭
અનીને રહી જાય છે. જેથી જૈન ધર્મ મુખ્યત્વે કરીને ન તેા સિદ્ધાન્તપરક છે કે ન વ્યક્તિપરક છે, ચમત્કારપરક છે કે ન કાલપક છે. ખીજા ધર્મોની સ્થિતિ એવી નથી. તે અધિકતર શાસ્ત્રપરક છે. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ છીએ કે વૈદિક ધર્મના મૂળ આધાર વેદ છે, તે જ પ્રમાણે ખ્રિસ્તી ધર્મના મૂળ આધાર ખાઈખલ, ઇસ્લામ ધર્મના મૂળ આધાર કુરાને શરીફ અને પારસી ધર્મના મૂળ આધાર જિન્દ અવસ્તા છે. જૈન ધર્મ કેાઈ એક શાસ્ત્ર અથવા આગમ સુધી સીમિત નથી.
વ્યક્તિપરકના અભિપ્રાય એ છે કે અન્ય ધર્મ માટે ભાગે વાણીથી આદેશ અથવા તેા ઉપદેશના રૂપે પ્રગટ થયા છે. દાખલા તરીકે બૌદ્ધધર્મના પ્રાદુર્ભાવ મહાત્મા યુદ્ધથી, ઈસાઈ ધર્મના ઈસામસીહુથી, ઇસ્લામના હજરત મહમ્મદ સાહેખથી અને પારસી ધર્મને જરથ્રુસ્તથી પ્રાદુર્ભાવ થયા છે. જૈન ધર્મની આ સ્થિતિ નથી. તેમ તે કેઈ એક વ્યક્તિ-વિશેષની વાણીથી પ્રગટ થયેલેા આદેશ કે ઉપદેશ નથી.
ચમત્કારપરકનું કહેવાનું તાત્પ એ છે કે અનેક ધર્મ પેાતાના અનુયાયીઓને ચમત્કારોના ચક્રમાં ફસાવી રાખે છે. તે સિદ્ધ પુરુષાની ચમત્કાર યુક્ત મેહમાયાનું જંગલ કઇક એવું ફેલાયું છે કે સાધારણ બુદ્ધિને માણસ તેમાં અટવાઈ અથડાઇને ત્યાં જ ફસાઈને અટકી જાય છે અને જાદુ-ટોણા તથા મંત્ર-જંત્ર આદિમાં જ ધમની ઇતિશ્રી માની બેસે છે. જૈન ધર્મમાં આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org