________________
ધર્મ અને સંસ્કૃતિ તેમાં પણ યથાર્થવાદી ધમને નિભાવ એ તેમની દૃષ્ટિએ અનિવાર્ય હતું. તેથી તેમણે પોતાના ભિક્ષુઓને ધર્મોપદેશ દીધેઃ “તમારા સત્યાત્મક આદર્શ કથનથી પણ કોઈનું હૃદય પીડાથી ગ્રસિત ન થવું જોઈએ. નહિ તો તમે યથાર્થવાદી ધર્મનો સ્પર્શ પણ નહિ કરી શકો.” જૈન ધર્મ યથાર્થવાદી ધર્મ છે. મહાવીરના પૂર્વવર્તી ૨૩ તીર્થકરોના યુગમાં આ યથાર્થવાદી ધર્મ ત્રણ યામ, ચાર યામ અને નિર્ગસ્થ ધર્મના નામથી પણ ઓળખાવા લાગ્યો. ભગવાન ઋષભદેવથી પાર્શ્વનાથ સુધીના ૨૩ તીર્થકરોએ તેને યુગની સીમાઓથી પાછળ ન રહેવા દીધા. ભગવાન મહાવીરે જન-માનસનું સૂક્ષમ નિરીક્ષણ કર્યું તે તેઓએ પાર્શ્વનાથનાં ચાર યામમાં અપરિગ્રહને સમાવેશ કરી દીધે.
યુગની સમસ્યાઓનું સમાધાન આપનાર ધર્મ યુગીન ધર્મ કહેવાય છે. જૈન ધર્મ યુગીન ધર્મ છે. તેથી પ્રત્યેક યુગની સમસ્યાઓને પોતાના વિરાટ પ્રકાશમાં સમેટી લીધી. યુગની સમસ્યા પ્રકાશવતી બની. તેથી જૈન ધર્મ શાશ્વત કાળથી અબાધરૂપે ચાલી રહ્યો છે. યામેનું અ૯પ૦ બહુત્વ પણ તેના પગની એડી ન બની શકયું. જૈન-ધર્મના નિયંતા નહિ, ચિતનકાર અપેક્ષિત રહ્યો
જૈન ધર્મ પોતાના વિશુદ્ધ રૂપે સંસ્કૃતિ-પ્રધાન ધર્મ છે. તેને એ મર્મોની પેઠે સિદ્ધાન્ત–પ્રધાન ન કહેવું જોઈએ. જે લોક વ્યવહારથી ઉદાસીન રહીને કેવળ સિદ્ધાન્તોની દાર્શનિક મીમાંસાની ભૂલભૂલામણીમાં ભટકતા રહે છે અને સાધારણ બુદ્ધિમાન માણસને માટે એક ગૂઢ સમસ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org