________________
સંસ્કૃતિ અને યથાર્થવાદ
૧૬૫ રીતે બચીને જીવિત રહી ગઈ તેનું મૂળભૂત કારણ શું છે? તેને મર્યાદિત અને શાબ્દિક ઉત્તર એ છે કે મહાવીરની સંસ્કૃતિ યથાર્થવાદી સંસ્કૃતિ હતી અને એટલા માટે જ તે જીવિત રહી ગઈ. મહાવીર પરમ યથાર્થવાદી હતા. એ જ કારણ છે કે આ પરંપરામાં થયેલા સ્તુતિકાર આચાર્યોએ પણ પિતાની સ્તુતિઓમાં ઠેકઠેકાણે તેને યથાર્થવાદની કસોટી પર ખરા ઉતરનારા ગુણ અને શ્રદ્ધાપુરુષ રૂપે ચીતરવામાં આવ્યા છે. જૈન ધર્મના મર્મજ્ઞ આચાર્ય સરસ્વતીના કૃપાપાત્ર શ્રી હેમચન્દ્રજીએ “ચચોટચવિજા”ના બીજા લોકમાં શ્રમણ-શિરોમણિ શાસનાપતિ ભગવાન મહાવીરની સ્તુતિ કરતાં કરતાં તેના “યથાર્થવાદમૂલક ગુણ”ની જ સ્તુતિ કરી છે :
अयं जना नाथ तव स्तवाय, गुणान्तरेभ्यः स्पृहयानुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षा-विधि-दुर्विग्धः ।।
હે પ્રભે, આપના અન્યાન્ય ગુણે પ્રત્યે પણ શ્રદ્ધાશીલ છું. તેઓનું સ્તવન પણ કરવા ઇચ્છું છું પરંતુ અહીં તે એકમાત્ર “યથાર્થવાદ નામના ગુણની જ સ્તુતિ કરીશ. પદેશિક પદ અને યથાર્થવાદ
ભગવાન મહાવીરે પિતાના ભિક્ષુઓ માટે અધ્યાત્મ અમૃતની પાવન ગંગા વહેવરાવી. ત્યાં પણ તેમના યથાર્થવાદી દષ્ટિકણનું સ્પષ્ટ દર્શન થાય છે. ચારને ચેર કહે, કાણને કાણે કહે, આંધળાને આંધળે કહે, બહેરાને બહેરે કહેવો, દાસને દાસ કહે છે કે સત્ય છે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org