________________
૧૬૦
ધર્મ અને સંસ્કૃતિ દ્રવ્ય ક્ષેત્રની પેઠે કાળની પણ અપેક્ષા છે. જેમકે ભગવાન મહાવીરને જન્મ આજથી પચીસ વર્ષ પહેલાં થયો. એથી ઊલટું અલ્પકાળનું કથન કરવું અસત્ય થશે. એ જ રીતે ભાવ પણ અપેક્ષિત છે. જેમકે પાણીમાં તરલતા હોય છે. એને અર્થ છે તરલતા નામક ભાવથી જ પાણીની સત્તા સિદ્ધ થાય છે. નહિ તો તે હિમ, બાષ્પ અથવા ધુમ્મસ કે ઝાકળ હેત કે જે પાણી નથી પણ પાણીનાં રૂપાંતર છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થની સત્તા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ છે, પરદ્રવ્યાદિની અપેક્ષાએ નથી. જેવી રીતે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ તેનામાં અસ્તિગુણ છે, તેવી જ રીતે પારદ્રવ્યાદિની અપેક્ષાએ તેમાં નાસ્તિ” ગુણ પણ છે. તાત્પર્ય એ છે કે સ્યાદ્વાદનો સિદ્ધાંત જે પદાર્થોમાં જે જે અપેક્ષાઓ ઘટિત હોય છે તેને સ્વીકારે છે. અપેક્ષારહિત સિદ્ધાંત તેને માન્ય નથી. અશ્વગ, આકાશકુસુમ, અને વધ્યાપુત્રના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે સ્યાદવાદની અપેક્ષા અપેક્ષિત નથી. કારણ કે તેની તે સત્તા જ અસિદ્ધ છે. ઉપરની વિચારચર્ચાને સાર એ છે કે દાર્શનિક ક્ષેત્રમાં જે રીતે સ્વાદુવાદને સિદ્ધાંત ઉપયોગી છે, તેવી જ રીતે વ્યાવહારિક ક્ષેત્રમાં પણ તેની ઉપગિતા ઓછી નથી. તે સત્ય-તથ્યનું પરિજ્ઞાન કરાવનાર અપૂર્વ મંત્ર છે.
જેવી રીતે જૈન દર્શને વસ્તુની અનેકરૂપતાની સ્થાપના સ્યાદવાદના આધાર પર કરી તેવી જ રીતે બૌદ્ધદશને પણ વિભજ્યવાદના નામે કરી; પરંતુ અનુકૂળ વાતાવરણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org