________________
જૈન સસ્કૃતિના અપૂર્વ ફાળા ઃ સ્ત્ય દ્વાદ
૧૫૯
જેવી રીતે વિવિધ કાણુથી સ'ગૃહીત કરવામાં આવેલા દશ્યાની એકત્ર અસ્થિતિથી ભવનની સ્થિતિમાં કેઈપણ પ્રકારની અવ્યવસ્થા નથી થતી, તે પછી જુદાજુદા વિરે ધી સ્વભાવાના અસ્તિત્વથી વસ્તુમાં તે કેવી રીતે સ‘ભવિત છે?
આજના યુગ વિજ્ઞાનના યુગ છે. વિજ્ઞાનને કારણે અહીં તહી` ઠેકઠેકાણે વીજળીને પ્રચાર થઈ રહ્યો છે. પખા, સ્ટવ અને ખલ્મ વગેરે સર્વ ચીજોમાં વીજળીના પ્રવાહ દોડી રહ્યો છે પણ સર્વને વ્યવહાર ભિન્નભિન્ન છે. પંખામાં તેની ચાલક શક્તિ કામ કરી રહી છે, બલ્બમાં તેને પ્રકાશ ઝગમગાટ કરી રહ્યો છે અને સ્ટવમાં તેના દાહક ગુણુ કામ કરી રહ્યો છે. જો આ વાત શકય છે તે પછી વસ્તુમાં દ્રવ્ય અને પર્યાયની દષ્ટિએ નિત્ય અને અનિત્યનુ' અસ્તિત્વ શા માટે શકય નથી ?
સ્યાદ્વાદના મંતવ્ય મુજબ પ્રત્યેક પદા, સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત્ છે તથા પરદ્રશ્ય; ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસત્ છે. દાખલા તરીકે એક ઘડી સ્વદ્રવ્ય માટીની અપેક્ષાએ સત્ છે એટલે કે અસ્તિત્વયુક્ત છે અને પરદ્રવ્ય પ્લાસ્ટિક આદિની અપેક્ષાએ અસત્ છે અર્થાત્ ઘડા ઘડા છે, પ્લાસ્ટિક નથી.
દ્રવ્યની પેઠે સત્યની સિદ્ધિને માટે ક્ષેત્ર પણ અપેક્ષિત છે, જેમકે ભગવાન મહાવીરને જન્મ ક્ષત્રિયકુણ્ડનગરમાં થયેા. ભગવાનના જન્મની પ્રસ્તુત ઘટના ‘ક્ષત્રિયકુણ્ડ’ની દ્રષ્ટિથી સાચી છે, સત્ છે. જો કોઈ ‘પાવા' કહેશે તે તે અસત્ય થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org