________________
૧પ૭
જૈન સંસ્કૃતિને અપૂર્વ ફાળે સ્યાદવાદ નથી કહેતા કે જે નિત્યતા છે, તે જ અનિત્યતા છે, અથવા જે એકતા છે તે જ એનેકતા છે. પરંતુ સ્યાદવાદ એમ કહે છે કે એક દષ્ટિએ એક પદાર્થ નિત્ય છે....તે બીજી દષ્ટિએ અનિત્ય પણ છે. એક વ્યક્તિ એક દષ્ટિથી પિતા છે તે બીજી દષ્ટિથી પુત્ર પણ છે. તેમાં વિરોધ કયાં આવ્યો? જેનો જ નહિ પણ બૌદ્ધો પણ ચિત્ર જ્ઞાનમાં વિરોધ નથી માનતા. જ્યારે એક જ જ્ઞાનમાં ચિત્રવર્ણનો પ્રતિભાસ હોઈ શકે છે, અને એ જ્ઞાનમાં વિરોધ નથી હોતો, તે એક જ પદાર્થમાં બે વિરોધી ધર્મોની સત્તા સ્વીકારવી તેમાં શું આપત્તિ અને શું મુશ્કેલી હોઈ શકે છે ? એક જ વસ્ત્ર કાળું અને ધેલું હોઈ શકે છે કે એક જ વસ્ત્ર સંકેચ અને વિકાસશીલ હોઈ શકે છે, તે એક પદાર્થમાં નિત્યતા અને અનિત્યતા, એકતા અને અનેકતા પણ સત્તાવિરોધી કેમ હોઈ શકે ?
કલ્પના ક–એક વસ્ત્રની દુકાન પર ગ્રાહક પહો . તેણે દુકાનદારને પ્રશ્ન કર્યો, “આ વસ્ત્ર ઊનનું છે ને ?” દુકાનદારે જવાબ આપ્યો, “હા એ ઊનનું છે.” બીજા ગ્રાહકે ફરીને એ જ વસ્ત્રના સંબંધમાં પ્રશ્ન કર્યો, “શું આ વસ્ત્ર રેશમનું છે ? ” દુકાનદારે જવાબ આપ્યો,
ના એ વસ્ત્ર રેશમનું નથી.” “અહીં ” આ ઊનનું છે. એ કથન જેટલું સત્ય છે તેટલું જ રેશમનું નથી. એ પણ સત્ય છે. એક જ વસ્ત્રના સંબંધમાં “ઊન”ની અપેક્ષાએ “સત ” અને રેશમની અપેક્ષાએ “અસત્ ' હઈ શકે છે તેમાં વિરોધ કેને દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org