________________
ધર્મ અને સંસ્કૃતિ લગાવ્યા છે. બૌદ્ધ દાર્શનિક ધર્મ કીર્તિએ સ્યાદવાદને પાગલોને પ્રલાપ કહ્યો અને જેનોને નિર્લજજ બતાવ્યા. શાન્તિરક્ષિતે પણ લખ્યુંઃ “સ્યાદવાદ કે જે સત્ અને અસત્, એક અને અનેક, ભેદ અને અભેદ, સામાન્ય અને વિશેષ, જેવાં પરસ્પર વિરોધી તને મેળવી દે છે, તે તે પાગલ વ્યક્તિને પ્રલાપ છે. એ જ રીતે આચાર્ય શંકરે પણ સ્યાદવાદ પર પાગલપણાનો આક્ષેપ મૂકીને લખ્યું :
એક જ શ્વાસ શીત અને ઉષ્ણ નથી હય શકતે, ભેદ અને અભેદ, નિત્યતા અને અનિત્યતા, યથાર્થતા અને અયથાર્થતા, સત્ અને અસત્, અંધકાર અને પ્રકાશની પેઠે એક જ કાળમાં એક જ વસ્તુમાં નથી રહી શકતા.” ડૉકટર રાધાકૃષ્ણને તેને અર્ધ સત્ય કહીને ત્યાજ્ય બતાવ્યું : છે. સ્વાદુવાદને ઉપહાસ કરતાં મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને લખ્યું : “ દહીં દહી પણ છે અને ઊંટ પણ છે, તો દહીં ખાતી વખતે ઊંટ ખાવા કેમ નથી દેડતા ? આ પ્રમાણે અનેક આરોપ સ્યાદ્વાદ ઉપર મૂકવામાં આવ્યા છે. પણ ચિંતન કરવાથી તે બધા નિરાધાર પ્રતીત થાય છે.
પ્રશ્ન એ છે કે એક જ વસ્તુમાં નિત્ય-અનિત્યત્વ, એકત્વ–અનેકવ આદિ પરસ્પર વિરોધી ધર્મ કેવી રીતે રહી શકે ? ઉત્તરમાં નમ્ર નિવેદન છે કે સ્યાદવાદ એ
२ प्रमाणवार्तिक १, १८२-१८५, ३ तत्त्वसंग्रह ३११-३२७, ४ शांकरभाष्य २-२-३३, ५ दर्शन-दिग्दर्शन-राहुल सांकृत्यायन
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org