________________
૧૫૪
ધર્મ અને સંસ્કૃતિ
સ’સારના સમસ્ત પદાર્થા ભેદભેદ રૂપમાં રહેલા છે. પર્યાય ષ્ટિથી તેમાં ઉત્પત્તિ અને વિગમ પ્રારભ છે તે દ્રવ્ય દૃષ્ટિથી તે સદાસદા ધ્રુવ છે.
66
આચાય. શ્રી હેમચંદ્રે પદાનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં લખ્યું છે : અનિત્ય પ્રદીપ અને નિત્ય આકાશ અન્નેને એક સ્વભાવ છે. પદાર્થ માત્ર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યુ રૂપ છે; એક નિત્ય છે, શાશ્વત છે અને બીજો અનિત્ય છે એમ કહેવું તે બુદ્ધિની વિડમ્બના છે. ૪ દીપક નિત્ય પણ હોઈ શકે છે અને આકાશ અનિત્ય પણ હોઈ શકે છે. બધા જ પદાર્થો દ્રવ્યષ્ટિથી નિત્ય છે, અને પર્યાય દૃષ્ટિથી અનિત્ય છે. એક ઘડા ફૂટી જાય છે. તેથી તે અનિત્ય છે. પણ ઠીકરીઓમાં પણ માટીનું તત્ત્વ અનુગત એટલે કે સમાયેલું છે, તેથી તે અનિત્ય પણ છે.
દ્રવ્યષ્ટિ યા પર્યાયષ્ટિ બન્નેના ઉદ્દેશ વસ્તુના -વ્યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવવાને છે. પરસ્પર વિરોધી સ્વભાવાના પણ તે તે અપેક્ષાએ સ્વીકાર કરાવવાને છે. દર્શન શાસ્ત્રના દિવાકર આચાય સિદ્ધસેનના શબ્દોમાં જેટલા વચનપથ છે તેટલા જ નયવાદ છે, અને જેટલા નયવાદ છે તેટલા જ પર સમય છે. અધા નય પેાતાની સીમામાં સત્ય છે પણ જ્યારે તે ર્ષીજાને અસત્ય જાહેર
४ आदीपमाव्योम समस्वभावं स्यादवादमुद्रानतिभेदि वस्तु | तन्नित्यमेवैकमनित्यमन्य-दिति त्वदाज्ञा द्विषतां प्रलापाः 11 -अन्ययोगव्यवच्छेदिका - ५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org