________________
૧૫ જૈન સંસ્કૃતિને અપૂર્વ ફાળે સ્યાદુવાદ
સત્ય અનન્ત છે અને અનન્તરૂપે જ તેના વિરાટ રૂપનું દર્શન કરી શકાય છે. તેને દેશકાળ અને સમ્પ્રદાયની સાંકડી સીમાઓનાં બંધનમાં બાંધી શકાતું નથી. સત્ય
જ્યાં અસમ છે ત્યારે તેને અસીમ બનાવી પણ કેવી રીતે શકાય ? અનેક રૂપાત્મક સત્યને અનેકરૂપે ગ્રહણ કરવું એનું નામ જ અનેકાન્ત છે. અનેકાન્તવાદ જૈન દર્શનની આધારશીલા છે.
અનેકાન્તવાદ એક દષ્ટિ છે, એક વિચાર છે. વિચારજગતને અનેકાન્તવાદ જ્યારે વાણીમાં ઊતરે છે ત્યારે તે સ્વાવાદ કહેવાય છે. “સ્યાદવાદમાં સ્યાદ્ શબ્દને અર્થ અપેક્ષા અથવા દૃષ્ટિકોણ અને વાદ શબ્દને અર્થ છે સિદ્ધાન્ત અથવા પ્રતિપાદન. ” બંને શબ્દ મળીને તેમાંથી બનેલો પ્રસ્તુત શબ્દનો અર્થ થઃ કેઈપણ વસ્તુ, ધર્મ, ગુણ અથવા ઘટના વગેરેનું કેઈ અપેક્ષાથી કથન કરવું તે સ્યાદવાદ છે. સ્યાદવાદનું બીજું નામ અપેક્ષાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org