________________
૧૪૮
ભારતીય સંસ્કૃતિમાં સંત હજારો મીંડાં નકામાં છે, તેનું કંઈ મૂલ્ય નથી. ધનરાશિ વિના તિજોરીનું કોઈ મહત્ત્વ નથી. તેવી જ રીતે અંતઃશુદ્ધિ વિના, આધ્યાત્મિક દ્રષ્ટિથી બાહ્યાચારની કઈ કિંમત નથી. જે કિયાકાંડ કેવળ કાયાથી કરવામાં આવે છે અને અંતરના ઊંડાણમાંથી કરવામાં આવતા નથી તેનાથી આત્મા પવિત્ર બનતો નથી. આત્માને નિર્મળ અને પવિત્ર બનાવવા માટે આમસ્પર્શ આચારની પણ અનિવાય આવશ્યકતા છે.
બધા સંતે એકસરખા તો નથી હોતા; પરંતુ વિશ્વમાં એવી અનેક વિભૂતિઓ પણ આપને જોવા મળશે કે જે અન્તઃ શુદ્ધિપૂર્વક બાહ્ય ક્રિયાઓ કરે છે. આવી વ્યક્તિએ અભિનંદનને પાત્ર છે. તેઓ નિઃસંદેહ પરમ કલ્યાણના ભાગી બને છે. સંતના જીવનમાં પ્રથમ નિશ્ચયભાવ આવે છે અને પછી વ્યવહારભાવ. નિશ્ચયને અભિપ્રાય છે પિતાના મનમાં આદર્શ અથવા લયને સ્થાપિત કરવાનું.
જ્યારે મનુષ્ય જીવનનું લક્ષ્ય નકકી કરી લે છે તે એ વિચાર કરવા લાગે છે કે પોતે કયા માર્ગે થઈને આગળ વધે, કઈ પ્રેરણા લઈને ચાલે, તો લક્ષ્ય પર વહેલામાં વહેલું અને ઓછી મહેનતથી પહોંચાય. એ માણસ જ બુરાઈઓ સાથે લડશે અને સારી વસ્તુઓને ગ્રહણ કરશે. આ જ પ્રમાણે નિશ્ચયભાવ પહેલાં અને વ્યવહારભાવ પછીથી આવે છે. તેનું અંતમાનસ સદા જાગ્રત રહેતું હોય છે. તે આંતરિક જીવનમાં કદી સૂતું નથી હોતું. ભલે તે ઉપર ઉપરથી સૂતેલા દેખાય પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org