________________
૧૪૬
ધર્મ અને સંસ્કૃતિ જે કંઈ લૂખે સૂકે નિર્દોષ આહાર મળે છે તેને જ પિતાના સમભાવના બીબામાં ઢાળી દઈને અમૃત બનાવી દે છે. રસનેન્દ્રિય ઉપર વિજય મેળવવું બહુ જ દુષ્કર છે. પરંતુ સાચા સંતને માટે કેઈપણ કાર્ય દુષ્કર હોતું નથી.
ક્રોધની આંધી સંતપુરુષના મન-માનસમાં જરા પણ ક્ષેભ ઉત્પન્ન કરી શકતી નથી. માનરૂપી સર્ષ તેના ઉપર આક્રમણ નથી કરી શકતો. તેનું અંતઃકરણ નિશ્ચલ અને સરલ હોય છે. ભરૂપી અજગર તેને ગળી નથી શકતો. તેના જીવનમાં કષાનું પ્રાબલ્ય નથી હોતું. તે જાણે છે કે કષાનું પ્રાબલ્ય જ સંત જીવનનું સર્વોપરી લક્ષ્ય છે. ભાવસત્ય, કરણસત્ય, ગસત્ય, ક્ષમાવાન, વૈરાગ્યવાન, મનઃસમાધરણીય, વચ સમાધરણય, કાયઃ સમાધરણય, જ્ઞાનસમ્પન્નતા, દર્શનસમ્પન્નતા, ચારિત્રસમ્પન્નતા, વેદનાધ્યાસ, મારણતિકસમાધ્યાસ આદિ આ સત્તાવીશ ગુણેથી જે યુક્ત છે તે જ સાધુપુરુષ ગણાય છે. તેને જ સાધુપુરુષ માનવામાં આવે છે. તેઓ નિકાય જીવોની રક્ષા કરે છે. આઠે મદેના ત્યાગી હોય છે. નવવાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. દસ પ્રકારના યતિધર્મ, બાર પ્રકારની તપસ્યા અને સત્તર પ્રકારના સંયમેના પાલન કરનારા હોય છે. તેમના જીવનમાં ભલેને ગમે તેટલા પરિષહ ઊભા થાય, તો પણ તે કદી ગભરાતા નથી. પરંતુ સહર્ષ પરિસહ સહન કરે છે; કારણ કે તે જાણે છે કે કોની સાથે સંઘર્ષ કરે એ જ આમિક શક્તિની વૃદ્ધિનું રહસ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org