________________
ભારતીય સંસ્કૃતિમાં સંત
૧૪૩ શ્રાવસ્તીના જગલમાં એક લૂંટારો રહેતું હતું. તે મનુષ્યોને લૂંટીને તેઓની આંગળીઓ કાપી લેતે હતે. અને તેની માળા બનાવીને પહેરતો હતો. તેથી તે અંગુલીમાલના નામથી ઓળખાતું હતું. શ્રાવસ્તીની આખી પ્રજા તેનાથી હેરાન પરેશાન થઈ ગઈ હતી. રાજા પણ તેને પિતાના વશમાં રાખી શકો ન હતો. આ વાત સાંભળી ભગવાન બુદ્ધ એ જગલ તરફ ગયા. અંગુલીમાલે દૂરથી બુદ્ધિને આવતા જોયા તે વિચાર કર્યો “ આ જગલમાં કોઈ પણ આવવાની હિંમત કરતું નથી, આ માનવી કેમ એકલે આવી રહ્યો છે ? શું તેને પોતાને જીવ વહાલે નહિ હોય ?” તે બુદ્ધની સામે ગયો અને ભે રહીને બે : “ઊભું રહે આગળ ન વધ. “ ત્યારે ચાલતાં ચાલતાં જ મહાત્માએ કહ્યું, “હું તો ઊભું છું, પણ તું ઊભું રહે.” આ સાંભળી તે લૂંટારે મૂંઝવણમાં પડી ગયે. અને વિચારવા લાગે! “આ કે માનવી જે પિતે ચાલી રહ્યો છે, છતાં પિતાને ઊભે રહેલે બનાવે છે અને હું ઊભે રહેલો છું છતાં મને કહે છે, “ ઊભું રહે. ”
બુદ્ધ તે ડાકુને ઉપદેશ દેતાં કહ્યું, “ભાઈ હું તો પ્રેમ અને મૈત્રીમાં સ્થિર છું, પણ તું હજી અસ્થિર છે, માટે સ્થિર થઈ જા. ”
મહાત્મા બુદ્ધની વાણીને તે લૂંટારા પર એવે પ્રભાવ પડયો કે તે એ જ ક્ષણે તથાગતને શિષ્ય બની ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org