________________
ભારતીય સંસ્કૃતિમાં સંત
૧૪૧ નાખે તેમાં લખ્યું હતું: “મહારાજ હું મારું સમસ્ત રાજ્ય આપને સોંપું છું. આપ ભિક્ષાવૃત્તિ ત્યાગી દો.” સંત રામદાસજીએ એ કાગળ વાંચે ને ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યા. બીજે દિવસે તે શિવાજીની પાસે ગયા ને બેલ્યાઃ બેટા, તેં તારું આખું રાજ્ય મને આપી દીધું બોલ, હવે તું શું કરીશ ?”
શિવાજીએ કહ્યું: “ગુરુદેવ આપની જે કંઈ આજ્ઞા થશે તેનું પાલન કરીશ. હું આપની સેવામાં સદા તૈયાર છું.”
રામદાસે કહ્યું આ મારી ઝળી ઉઠાવી લે. અને મારી સાથે ભીખ માગવા ચાલ.”
શિવાજીને ભારે નવાઈ લાગી. તેના આશ્ચર્યને પાર ન રહ્યો. પણ વચનથી બંધાઈ ગયા હતા એટલે શું થાય. તેમણે ઝોળી ઉપાડી અને સ્વામી રામદાસની સાથે શિક્ષા માગવા ચાલી નીકળ્યા. ગુરુએ તેમને આખા ગામમાં ફેરવ્યા અને છેવટે નદીને કિનારે આવી સૌની સાથે, ભિક્ષામાં આવેલું ભેજન કરી રહ્યા પછી ગુરુએ શિવાજીને કહ્યું, “બેટા તે તારું આખું રાજ્ય મને આપી દીધું છે, પણ હવે હું તને આ રાજ્ય પાછું મેંપું છું. અને તે રાજ્ય મારું છે એમ સમજીને રાજકારભાર કરજે. અને મારું આ ભગવું વસ્ત્ર પણ સાથે રાખજે જેથી કરીને તને આ રાજ્ય તરફ મેહ ન થાય, અનુરક્તિ ન થાય.” મહારાષ્ટ્રમાં આજે પણ એ ભગવા ઝંડાનું મહત્વ છે. શિવાજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org