________________
૧૪૦
ધર્મ અને સંસ્કૃતિ સં તેના પ્રભાવનાં કેટલાંક ઉદાહરણ :
માનવીના હદયમાં રોગના જંતુ ભરાઈ જાય છે તે તેને દાક્તરની પાસે જઈ ઈજેકશન લેવાં પડે છે. સંત પણ એક દાક્તર છે. તેથી માનવીન વિકાર તથા પાપના જતુઓને દૂર કરવા માટે તેમની પાસે જવું જોઈએ. તેમના સંપર્કથી વિષભર્યું માનસિક વાતાવરણ નાશ પામે છે. ૧. સમર્થ ગુરુ રામદાસ અને શિવાજી
રામદાસ ખરેખર સમર્થ રામદાસ જ હતા. નાનાપણમાં તેમનાં લગ્ન લેવાયાં હતાં. લગ્નમંડપમાં જ બેઠેલા હતા ત્યારે તેમને જે સાવધાન શબ્દ સાંભળે કે તુરતજ તેઓ સાવધાન થઈ ગયા અને એવા સાવધાન થયા કે બાર વર્ષ સુધી તેમને પતે પણ ન લાગ્યો. પછી તે સંન્યાસી થઈ ગયા અને ઘેર ઘેર ભિક્ષા માગવા લાગ્યા. સ્વામી રામદાસ એક ઉચ્ચ કેટિના સંત હતા. તેમને પ્રભાવ ચારે તરફ વીજળીની રેશનીની જેમ ફેલાઈ ગયે હતા. તેમના પ્રભાવથી મહારાજ શિવાજી પણ પ્રભાવિત થઈ ગયા. શિવાજીએ તેને પોતાના ગુરુ માન્યા. જ્યારે પોતાના ગુરુને ભિક્ષા માગતા જોયા તે તેમના મનમાં વિચાર આવે “મારા ગુરુ વળી ભિક્ષા માગે? શું હું એકલે તેની બધી જરૂરિયાત પૂરી ન કરી શકું? તેમણે તત્કાળ પત્ર લખ્યો અને પિતાના નેકરને તે આપીને કહ્યું કે સ્વામીજી આવે તે એમની ઝોળીમાં આ ચિઠ્ઠી નાખી દેજે. યથા સમય રામદાસજી આવ્યા તે નોકરે તે પત્ર એમની ઝોળીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org