SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં સંત ૧૩૦ વગર પરહિત માટે જ પિતાનું સર્વસ્વ લૂંટાવી દે છે. સંતનું હૃદય માખણ જેવું મુલાયમ અને કોમળ હોય છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે કેसंत हृदय नवनीत समाना, कहा कवि न पर कहिय न जाना । निज दुःख द्रवहि सदा नवनीता परदुःख द्रवहिं संत पुनीता ।। સંતનું હૃદય માખણની જેવું કમળ છે એ કહેવું ઠીક છે, પરંતુ સ્વદુઃખકાતર, બિચારું માખણ પરદુઃખકાતર સંતના હૃદયને મુકાબલે નથી કરી શકતું. તેથી માખણની ઉપમા સંતના જીવન સાથે સંગત નથી થઈ શકતી. સંતના પ્રાણ ઉપર ભલેને ગમે તેવું વિષમ સંકટ કેમ ન આવી પડે, હજારે પીડાઓ કેમ ન તૂટી પડે. અપમાન અને તિરસ્કારના વિષનું પાન કેમ ન કરવું પડે, તે કેઈની આગળ પિતા પર દયા કરવાની આજીજી નહિ કરે, જેમ જેમ દુઃખ, અપમાન, તિરસ્કાર અને ઘૂણાની વાળાએ તેને બાળી જલાવી ખાખ કરવા આગળ વધતી જશે તેમ તેમ તેનું જીવન વજા જેવું બનતું જશે. પછી તેનું મન પીગળાવવાની, તેનું સર્વ વિચલિત કરવાની કેની તાકાત છે. વાસ્તવમાં સંત પિતાને માટે હિમાલયની પિઠે અડગ હોય છે, પરંતુ બીજા પ્રત્યે વર્તાવ કરવામાં કુસુમની પેઠે કેમળ બની જાય છે. 'पत्रादपि कठोराणि मुदुनि कुसुमादपि' સંતનું કોમળ હૃદય બીજાના દુઃખભારને વહન કરવામાં સર્વથા અસમર્થ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy