________________
---------
જૈન સંસ્કૃતિને પ્રાણઃ અનેકાન્ત
૧૩૫ સમાજવાદ જ વિશ્વની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તેમ છે. તે બીજે કહે છે ના, સામ્યવાદથી જ વિશ્વમાં શાંતિ સ્થાપી અને ટકાવી શકાય છે. ત્રીજે વળી માટેથી પોકારે છે કે પૂછવાદ-મૂડીવાદની છત્રછાયામાં જ સંસાર સુખને શ્વાસ લઈ શકે તેમ છે કોઈ એક વાદથી તે વળી કેાઈ બીજા વાદ વડે વિશ્વશાંતિનું રટણ કરી રહ્યા છે. આ પરસ્પરની તાણીતાણી અને ખેંચાખેંચીથી જ વિશ્વના રાજનૈતિક મંચ પર ઈર્ષા, કલહ, સંઘર્ષ, ભય તથા કંઠ પોતપોતાની છાતી કાઢીને સામસામાં ઊભાં થઈ ગયાં છે ને દુનિયા અશાંતિનો અખાડે બની ગઈ છે.
આ જ સ્થિતિ ધાર્મિક ક્ષેત્રમાં પણ છે. ત્યાં પણ સૌ પિતાપિતાની ઢોલકી બજાવે છે ને રાગ-તાન આલાપે છે. પ્રત્યેક ધર્મ પિતાની ઉચ્ચતા, સચાઈ મુક્તિના ઈજાનો રાગ આલાપી રહ્યો છે. તે પિતાને સ્વયં સાચે અને બીજાને જુઠે દેખાડી રહ્યો છે.
જે આ બધા વિચારકે એક મંચ પર બેસીને સહિષ્ણુતા અને ધર્યની સાથે એકબીજાની વાત સાંભળે અને પિતાની જ દષ્ટિને બીજા પર પરાણે ઠોકી બેસાડવાને પ્રયત્ન ન કરે, તો પછી સત્ય તથ્ય તેઓની આંખ આગળ ન તરવા લાગે શું ? તેઓમાં પરસ્પર મેળ ન થઈ જાય શું? સમજૂતી અને સમન્વયનાં દ્વાર ન ખૂલી જાય શું? સર્વોદયની પગદંડી સાફ ન થઈ જાય શું ? સર્વત્ર શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સહજીવનને પ્રકાશ ન ફેલાય શું ? અને જૈન સંસ્કૃતિના તત્ત્વજ્ઞાનને મૂલાધાર એકાન્તવાદ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org