________________
૧૩૪
ધર્મ અને સંસ્કૃતિ સુગમતા થાય છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના મંતવ્ય અથવા વિચારને બધી રીતે બરાબર સમજતો રહે છે, પોતાની જ વાતને પરમ સત્ય માન રહે છે ત્યાં સુધી તેનામાં બીજાના દષ્ટિકોણને સમજવાની ઉદારતા આવી શકતી નથી. અને તે કૃપ-મંડૂક એટલે કૂવામાંનો દેડકે બની રહે છે. પરિણામે તે પિતાને સાચે અને બીજાને જૂઠે મિથ્યાવાદી સમજી બેસે છે.
આજે કુટુંબમાં જે લડાઈ-ઝઘડા અને કુટુંબ-કલેશ દેખાય છે, સાર્વજનિક જીવનમાં ક્રૂરતા તથા કલ્મષ છે, ધાર્મિક ક્ષેત્રમાં “તું તાં ને હું તૂ' ની બેલબાલા છે, આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં ઊંડી ખેંચતાણ છે, તે બધું જ અનેકાન્તના દષ્ટિકોણને ન અપનાવવાના કારણે જ છે. દુનિયાને એ એક રિવાજ જ બની ગયું છે કે તે પિતાની આંખેથી પિતાની કલ્પના તયા વિચારદષ્ટિ મુજબ જ સર્વ કંઈ જેવા સમજવા ઈચ્છે છે. સમાજને દરેક જણ એમ જ ઈચ્છે છે કે બધી જગાએ મારું જ ચાલે. સમસ્ત સમાજ મારા ઈશારા પર જ નાચે અને જ્યારે એમ બની શકતું નથી, ત્યારે આપસમાં એકબીજાના દોષ કાઢે છે. ટીકાટિપ્પણું ને એકબીજા પર છાંટા ઉડાડે છે જેથી મેં મેં તું તું ” નું વાતાવરણ ગરમ બની જાય છે અને સર્વત્ર અશાન્તિની લહેર ફેલાઈ જાય છે.
રાજનીતિના ક્ષેત્રને જ લો. રાજનીતિના કાદવમાં પડીને સાથે સંસાર વાદેના ચક્કરમાં ફસી ગયો છે. સૌ પિતપોતાની વાતને ખેંચી રહ્યા છે. કેઈ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org