________________
જેને સંસ્કૃતિને પ્રાણું: અનેકાન્ત
૧૩૩ પદાર્થને ધર્મ છે. જે એમ ન હોત તે તેમાં આ બંને બાબતને વ્યવહાર પણ થઈ શકત નહિ. પરંતુ સત્વની જેમ અસત્વ” ને પણ વ્યવહાર તેમાં નિરંતર થાય છે તેથી પદાર્થને “અસત ” પણ માનવામાં આવે છે.
હા, પદાર્થને જે અપેક્ષાએ સત્ માનવામાં આવે છે, તે જ અપેક્ષાએ જે તેને અસતુ માનવામાં આવત તો તે અસંભવ દોષને અવકાશ હેઈ શકત. પદાર્થને જે દષ્ટિકોણથી સત્ ગણવામાં આવ્યે છે તે દૃષ્ટિ કેણથી તે “સત્ જ છે અને જે દષ્ટિકોણથી “અસત્ ” માન્ય છે તે દૃષ્ટિકોણથી અસ” જ છે. એ જ વાત નિત્યત્વ અને અનિત્યત્વના સંબંધમાં પણ સાચી છે. જે અપેક્ષાએ આપણે પદાર્થને નિત્ય માનીએ છીએ તે અપેક્ષાએ તે નિત્ય જ છે અને જે અપેક્ષાએ “અનિત્યનો સ્વીકાર કરવામાં આવે છે તે અપેક્ષાએ તે “અનિત્ય” પણ છે. જે નિયવાળી દષ્ટિથી જ અનિત્ય માનવામાં આવે તે વિરોધ થઈ શકતો હતો. પદાર્થને દ્રવ્યની દષ્ટિએ નિત્ય અને પર્યાયની દૃષ્ટિથી અનિત્ય માનવામાં આવે છે. આ બંને ધર્મ પદાર્થમાં જ છે એટલે પદાર્થ નિત્યનિત્યામક છે. અનેકાંતવાદની ઉપયોગિતા :
અહિંસાને વિચારાત્મક પક્ષ અનેકાંત છે. રાગદ્વેષજન્ય સંસ્કારો વશીભૂત ન થતાં એકબીજાના દષ્ટિબિંદુને બરાબર સમજવું તેનું નામ જ “અનેકાંત” છે. તેથી મનુષ્યના અંતરમાં તથ્યને હૃદયંગમ કરવાની વૃત્તિને ઉદય થાય છે જેથી સત્યને સમજીને તેના સુધી પહોંચવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org