________________
જૈન સંસ્કૃતિને પ્રાણુ : અનેકાન્ત
૧૩૧ પ્રમાણ છે; અન્ય ધર્મોના અપલાપ કરીને કહેલું વચન અપ્રમાણ છે, અસત્ય છે, મિથ્યા છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જૈન દર્શનને મૌલિક અનેકાન્તવાદ અસત પક્ષે સમન્વય હેળમેળ સાધતો નથી. એથી તે જીવનમાર્ગમાં અંધ-સ્થિતિ ઉત્પન્ન થાય છે. કેવળ સપક્ષે અને તથ્યાશેનો સમન્વય એ જ એકાન્ત છે. શું એક જ વસ્તુમાં વિશુદ્ધ ધર્મ રહી શકે છે.
એક જ પદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. સત પણ છે, અને અસત પણ છે. એક પણ છે અને અનેક પણ છે. જૈન ધર્મને મેરુમણિ અનેકાન્તવાદની આ વજી શેષણ છે. નિત્યસ્વ-અનિત્યત્વ, સત્વઅસત્વ, એક-અનેકત્વ આદિ પરસ્પર વિરોધી ધર્મ એક જ પદાર્થમાં કેવી રીતે રહી શકે છે ? એ પ્રકારની શંકા હેવી સહજ છે. પણ જરા ઊંડાણથી વિચાર કરવાથી એ સત્ય જરૂર સ્પષ્ટ થઈ જશે કે વિરુદ્ધ ધર્મોનું એકત્ર થઈ જવું એ કાઈ નવીન અદભુત અથવા આશ્ચર્યકારી વાત નથી, એ તે આપણા દૈનિક અનુભવમાં આવનારી વાત છે. કેણ નથી જાણતું કે એક જ વ્યક્તિમાં પોતાના પિતાની દષ્ટિથી પુત્રત્વ, પુત્રની અપેક્ષાએ પિતૃત્વ, બ્રાતાની અપેક્ષાએ ભ્રાતૃત્વ, છાજની અપેક્ષાએ અધ્યાપકત્વ અને અધ્યાપકની દ્રષ્ટિથી છાત્રત્વ આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો મળી આવે છે
હા, વિરોધની શંકા ત્યારે જ ઉચિત ગણાય, જ્યારે એક જ અપેક્ષાએ એક પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મોનું નિરૂપણ કરવામાં આવે. પદાર્થમાં દ્રવ્યની દૃષ્ટિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org