________________
૧૩૦
ધર્મ અને સંસ્કૃતિ એક પ્રકારને અસત્ય પ્રત્યેને પક્ષપાત અને અસત્ય પ્રત્યે દ્વષ છે. સત્ય પ્રત્યે અન્યાય ન થાય અને અસત્યને પ્રશ્રય ન મળે એ અપેક્ષાએ અનેકાંત સિદ્ધાંતને માનવાવાળા મનુષ્યને મધ્યસ્થ–ભાવ એક જુદી જ રીતનો હોય છે. તેની સ્પષ્ટ ઝાંખી આપણે નીચેના શ્લોકમાં જોઈ શકીએ છીએ :
'तत्रापि न द्वेषः कार्यो विषयस्तु यत्नता मृग्यः । तस्यापि च सद्वचनंसर्व यत्प्रवचनादन्यत् ।।
–૩ ૨૬ ૨૩ બીજા શાસ્ત્રો પ્રત્યે દ્વેષ કર ઉચિત નથી. પરંતુ તેઓ જે વાત કહે છે તેની યત્નપૂર્વક શેધ કરવી જોઈએ. અને તેમાં જે સત્ય વચન હોય તે દ્વાદશાંગીરૂપ પ્રવચનથી જુદું નથી.
અનેકાંતવાદનું ગાંભીર્ય અને મધ્યસ્થભાવ બંને ઉપર્યુક્ત શ્લોકમાં મૂત થઈ ગયા છે. અનેકાંતવાદીને માટે કઈ પણ વચન સ્વયં પ્રમાણરૂપ નથી કે અપ્રમાણરૂપ નથી. વિષયના ધનપરિધનથી જ તેને માટે કઈ વચન પ્રમાણુ અથવા અપ્રમાણુ બને છે. પછી ભલે તે સ્વશાસ્ત્રનું હોય કે પર-શાસ્ત્રનું. જેને વિષય પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી અવિરુદ્ધ હોય તે વાક્ય પ્રમાણ છે અને જેને વિષય પ્રત્યક્ષ આદિ પ્રમાણથી બાધિત હોય તે વચન અપ્રમાણ છે. વસ્તુ અનેક ધર્માત્મક છે. કેઈ પણ એક ધર્મને લઈને કહેવામાં આવેલું વચન તે ધર્મની દષ્ટિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org