________________
જૈન સંસ્કૃતિને પ્રાણઃ અનેકાન્ત
૧૨૭ જાતની અનિશ્ચયાત્મક સ્થિતિનું નામ છે સંશય. આમાં દેરડી અથવા સાપ કોઈને પણ નિશ્ચય નથી થઈ શકતે. કે વસ્તુ કોઈ નિશ્ચયાત્મક રૂપે સમજવામાં કે જાણવામાં ન આવે તે જ સંશયનું સ્વરૂપ છે. પરંતુ અનેકાન્તવાદમાં તે સંશય જેવી કોઈ સ્થિતિ જ નથી. તે તો સંશયને મૂલછેદ કરનાર નિશ્ચિતવાદ છે. અહીં જે અપેક્ષાએ જે વાત કહેવામાં આવે છે તે અપેક્ષાએ તે વાત તેવી જ છે, આ સે ટકા નક્કી છે. “અનેકાન્તવાદી અપેક્ષાની દૃષ્ટિથી પિતાની વાત ભાર દઈને “જ” પૂર્વક કહે છે. દાખલા તરીકે અનેકાન્તવાદી દ્રવ્યની દષ્ટિએ આત્માને નિત્ય માને છે અને પર્યાયની દૃષ્ટિથી અનિત્ય માને છે. દ્રવ્યની દૃષ્ટિથી આમા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, અથવા પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય પણ છે અને નિત્ય પણ છે, એવા અનિશ્ચયાત્મક ગેલમાલભરી વાત અનેકાન્તવાદી કદી નથી કહેતે કે કદી નથી માનતે. “ જ પૂર્વક પિતાની વાતને કહેતે છતાં પણ “સ્માત ” પદને પ્રગ
એટલા માટે કરે છે કે આત્મા દ્રવ્યની દષ્ટિએ જેવી રીતે નિત્યત્વ ધર્મવાળો છે તે જ પ્રમાણે પર્યાયની દષ્ટિથી અનિયત્વ ધર્મવાળે પણ છે.
સત્યની આ બાજુ કદી આંખથી લુપ્ત ન થઈ જાય. જે આ સત્ય-દષ્ટિ વિચારકોના માનસ-નેત્રથી અળગી થઈ જાય તે એકાન્તવાદ આવીને પોતાનું આસન જમાવી લે છે અને “એકાન્તવાદથી તત્ત્વની–સત્યની પૂર્ણ ઝાંખી કદી મળી શકતી નથી. તેથી જૈન દર્શનનો અનેકાન્તવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org