________________
જેને સંસ્કૃતિનો પ્રાણઃ અનેકાન્ત
૧૨૫ દહીં લે. આ નિયમ મુજબ દૂધને વિનાશ, દહીંની ઉત્પત્તિ અને ગેરસની સ્થિરતા આ ત્રણે તત સારી રીતે પ્રમાણિત થઈ જાય છે. દહીંના રૂપમાં ઉત્પાદ, દૂધના રૂપમાં વિનાશ અને ગેરસના રૂપમાં ધ્રૌવ્ય–આ ત્રણે તત્ત્વ એક જ વસ્તુમાં સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે.
पयोव्रतो न दध्यति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे, तस्मात्तत्त्वं त्रयात्मकम् ॥
-समन्तभद्र आप्तमीमांसा પદાર્થના ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ–આ ત્રણે ધર્મોથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે વસ્તુને એક અંશ બદલતો રહે છે-ઉત્પત્તિ અને વિનાશ થતો રહે છે, તથા બીજે અંશ પિતાના સ્વરૂપમાં રહે છે. વસ્તુને જે અંશ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે જૈન દર્શનની ભાષામાં પર્યાય” કહેવાય છે અને જે અંશ સ્થિર રહે છે તે “દ્રવ્ય' કહેવાય છે. બંગડીમાંથી મુગટ બનાવવાના ઉદાહરણમાં બંગડી તથા મુગટ તે “ પર્યાય ” છે અને સેનું ‘દ્રવ્ય છે. દ્રવ્યની દૃષ્ટિથી વિશ્વને પ્રત્યેક પદાર્થ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માટીને ઘડે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. ઘડાને જે આકાર છે તે વિનાશી છે, અનિત્ય છે પણ ઘડાની માટી અવિનાશી છે, નિત્ય છે. કારણ કે આકારરૂપે ઘડાને નાશ થયા પછી પણ માટીરૂપે તો તે વિદ્યમાન રહે છે. માટીના પર્યાય -આકાર પરિવર્તિત થતો રહે જ છે પરંતુ માટીના પરમાણુ સર્વથા નાશ પામતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org