________________
૧૨૨
ધર્મ અને સંસ્કૃતિ કારણે બીજી બાજુનું સત્ય તેમને દેખાતું નથી હોતું. એકાન્તને પક્ષાબ્ધ મનુષ્ય ભલા પ્રકાશને કેવી રીતે જોઈ શકે ?
અનેકાન્તવાદ મનુષ્યની દૃષ્ટિથી આ કાણાપણાને નાશ કરીને વસ્તુસ્વરૂપને “વિવિધ દૃષ્ટિએ'થી લેવાની પ્રેરણા આપે છે. પોતાના ઘરના આંગણામાં ઊભેલો માણસ પિતાની ઉપર જ પ્રકાશ જુએ છે પણ છાપરા ઉપર કે અગાશી ઉપર ચડીને જુએ તે સર્વત્ર પ્રકાશ જ પ્રકાશ એની નજરે ચડશે. અનેકાન્ત દ્વારા અથવા આંગણાને ધર્મ નથી પણ અગાસી ને છાપરાનો ધર્મ છે. પદાર્થના વિરાટ સ્વરૂપની ઝાંખી ” :
જૈન દર્શનની વિચારધારા અનુસાર જગતના બધા જ પદાર્થો ઉત્પત્તિ, વિનાશ તથા સ્થિતિ–આ ધર્મોથી જોડાયેલા છે. જૈનત્વની ભાષામાં તેને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કહે છે. વસ્તુમાં જ્યાં ઉત્પત્તિ તથા વિનાશની અનુભૂતિ હોય છે, ત્યાં તેની સ્થિરતાનું ભાન પણ સ્પષ્ટ રીતે હેય છે. સનીની પાસે સેનાની બંગડી છે. એ બંગડીને તેડીને તેને મુગટ બનાવી દીધે તેથી બંગડીને વિનાશ થયે પણ મુગટની ઉત્પત્તિ થઈ. પરંતુ ઉત્પત્તિવિનાશની આ લીલામાં મૂળ તત્વ સોનાનું અસ્તિત્વ તે બરાબર ચાલુ જ રહ્યું છે. તે તે જેવું ને તેવું જ પિતાની સ્થિતિમાં વિદ્યમાન રહ્યું છે. તેમાંથી એ સત્ય સાફ થઈને દેવાઈને ઉપર તરી આવ્યું કે ઉત્પત્તિ અને વિનાશ કેવળ આકાર-વિશેષ હોય છે નહિ કે મૂળ વસ્તુને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org