________________
જૈન સંસ્કૃતિના પ્રાણ ઃ અનેકાન્ત
૧૧૯
તે એમ કહે છે કે “ચન્દ્રમા પેલા ઝાડની ટોચથી ખરાખર એક વહેત ઉપર છે.” ત્યારે બીજો માણસ કહે છે કે “ચન્દ્રમા આ મકાનના ખૂણાને અડીને રહ્યો છે.” ત્રીજો કહે છે “ ચન્દ્રમા પેલા ઊડતા પ`ખીની ખ'ને પાંખેાની વચ્ચેથી દેખાય છે.” ચેાથે! માણસ સકેત કરીને કહે છે કે “ ચન્દ્રમા ખરાખર મારી આંગળીની સામે જ દેખાઈ રહ્યો છે.” આ ખધા માણસનું લક્ષ્ય ચંદ્ર-દર્શન કરાવવાનું છે અને તેએ પેાતાની સાક્ નિયતથી જ પાતપેાતાની પ્રક્રિયા બતાવી રહ્યા છે. પણ એકબીજાના કથનમાં આકાશપાતાળનું અંતર છે.
ખરાખર એ જ રીતે સત્યશેાધક દાર્શનિક વિચારકેાને એક જ ઉદ્દેશ છે, સાધકોને સત્યને સાક્ષાત્કાર કરાવવે. બધા પોતપેાતાના દૃષ્ટિબિન્દુથી સત્યની વ્યાખ્યા કરી રહ્યા છે; પરન્તુ તેઓના કથનમાં ભેદ છે. અનેકાન્તની સતેજ આંખથી જ તે તથ્યાંશાના પ્રકાશને જોઈ સમજી શકાય છે. વસ્તુતઃ અનેકાન્તવાદ સત્યનું સજીવ ભવિષ્ય છે, આ સત્યની શેાધ કરવા માટે તથા પૂર્ણ સત્યની મ`જિલ પર પહોંચવા માટે પ્રકાશમાન મહામાર્ગ છે. ખીજા શબ્દોમાં જૈન દર્શનના અનેકાન્ત વિચાર બધી દિશાએથી ખુલ્લું રહેલું એ દિવ્ય માનસ-નેત્ર છે, જે પેાતાથી ઊંચે જઇને દૂર દૂર સુધીનાં તÛાને જોઈ લે છે. અનેકાન્તમાં એકાંગિતા તથા સંકીણુતાને પગ રાખવા જેટલી જરા પણ જગા નથી. અહીં તેા મનના તટસ્થ ભાવ અને હૃદયની ઉદારતા જ સર્વોપરી માન્ય છે. અહી સ્વદૃષ્ટિ નગણ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org