________________
૧૧૬
ધર્મ અને સંસ્કૃતિ ઊલટું જૈન દર્શનના તત્ત્વ-પારખુ આચાર્યોએ ખુલ્લાં મનખુલ્લા મગજથી વસ્તુ–સ્વરૂપ પર અનેક દષ્ટિબિંદુએથી વિચાર કરીને ચૌમુખી સત્યને આત્મસાત કરવાને દૂરગામી પ્રયત્ન કર્યો છે તેથી તેઓને દૃષ્ટિકોણ સત્યને દૃષ્ટિકોણ છે, શાંતિને દૃષ્ટિકોણ છે, જનહિતને દૃષ્ટિકોણ છે, સહઅસ્તિત્વને દષ્ટિકોણ છે.
દાખલા તરીકે આત્મતત્વને જ લે. સાંખ્યદર્શન આત્માને ફૂટસ્થ (એકાન્ત, એકરસ) નિત્ય માને છે. તેનું કહેવું એમ છે કે આત્મા સર્વથા નિત્ય જ છે. બૌદ્ધ દર્શનનું કથન છે કે આમાં અનિત્ય એટલે કે ક્ષણિક જ છે. આમ અંદર અંદર બંનેને વિરાધ છે. બંનેમાં ઉત્તર-દક્ષિણના રાહ છે. પણ જૈન દર્શન કદી એક જ પડખા તરફ નથી નમતું, નથી ઢળતું. તે તો એમ માને છે કે જે આત્મા એકાન્ત નિત્ય જ છે તે તેમાં કોધ, અહંકાર, માયા તથા લાભ રૂપે તે રૂપાન્તર થતો કેમ દેખાય છે ? નારક, દેવતા, પશુ અને મનુષ્યના રૂપમાં પરિવર્તન પામતે કેમ નજરે પડે છે? આત્માનાં આ જુદાં જુદાં રૂપપરિવર્તન શાને લીધે છે ? ફૂટસ્થ અથવા નિત્યમાં તે કોઈપણ પ્રકારે પર્યાય કે પરિવર્તનફેરફાર હોઈ શકે નહિ, ન દેવું જોઈએ; પણ પરિવર્તન થાય છે એ ધોળા દિવસ જેવું સત્ય છે, સ્પષ્ટ છે. તેથી આત્મા નિત્ય છે એ કથન ભ્રાંતિથી ભરેલું છે, ખેટું છે. અને હવે જે આત્મા સર્વથા અનિત્ય છે એમ માની લઈએ તે “આ વસ્તુ જે પહેલાં મેં જોઈ હતી તે નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org