________________
જેન સંસ્કૃતિને પ્રાણઃ અનેકાન્ત
૧૧૫ કારણે અનેકાન્તવાદનું નામ અપેક્ષાવાદ અથવા સ્યાદવાદ રાખવામાં આવ્યું છે. સ્યાદવાદમાં સ્થાને અર્થ છે કેઈ પણ અપેક્ષાથી અથવા કેઈપણ દૃષ્ટિથી, અને વાદને અર્થ છે-કથન કરવું. કેઈ અપેક્ષા વિશેષ વડે વસ્તુતત્ત્વનું નિર્વચન કરવું એ જ સ્યાદવાદ છે. શ્રી અને મા નું અંતર (જ” ને સ્થાને “પણ):
અનેકાન્તવાદની એ સર્વોપરી વિશેષતા છે કે તે કઈ પણ વસ્તુને એક પક્ષ પકડીને એમ નથી કહેતા કે, આ વસ્તુ એકાન્તતઃ આવી જ છે. તે તે “” ના સ્થાને “મા”– ને પ્રયાગ કરે છે જેનો અર્થ છે–આ અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ આવું પણ છે. “ર” એકાન્ત છે તે “મા” વિષમ્ય તથા સંઘર્ષના બીજનું મૂલતઃ ઉમૂલન કરીને સમતા તથા સૌહાર્દના મધુર વાતાવરણનું સર્જન કરે છે. “હીમાં વસ્તુ સ્વરૂપના બીજા સપક્ષેનો ઈન્કાર છે તે “મમાં બીજા બધા સપક્ષેનો સ્વીકાર છે. “હી’થી સત્યનું દ્વાર બંધ થઈ જાય છે તો “મ'માં સત્યનો પ્રકાશ લાવવા દેવા માટે બધાં દ્વાર ઉઘાડાં રહે છે.
જેટલાં જેટલાં એકાન્તવાદી દર્શન છે તે બધાં વસ્તુસ્વરૂપના સંબંધમાં એક પક્ષને હમેશાં મુખ્યપદ-પ્રધાનપદ આપીને જ કેઈ તથ્યનું પ્રતિપાદન કરે છે. વસ્તુ-સ્વરૂપના સંબંધમાં ઉદાર મનવાળા બનીને વિવિધ દૃષ્ટિકોણથી વિચાર કરવાની કળા તેમની પાસે ઘણું ખરું હોતી નથી. આ જ કારણ છે કે જેથી તેમને દષ્ટિકોણ અથવા કથન જનહિતાય ન હતાં “જનવિદાય થઈ જાય છે. એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org