________________
૧૧૪
ઘર્મ અને સંસ્કૃતિ શિલીને પૂર્ણ તથા પ્રામાણિક સ્વીકાર કરવામાં આવ્યા છે. આ સાપેક્ષ વિચાર–પદ્ધતિનું નામ જ વસ્તુતઃ એકાન્તવાદ છે. અપેક્ષાવાદ, કથંચિવાદ, સ્યાદવાદ, અનેકાન્તવાદ આ બધા શબ્દ પ્રાયઃ એક જ અર્થના વાચક છે.
અનન્ત-ધર્માત્મક વસ્તુને જે કંઈ એક જ ધર્મમાં સીમિત કરવા ઈછે, કોઈ એક ધર્મ દ્વારા થનારા જ્ઞાનને જ વસ્તુનું જ્ઞાન સમજી બેસે, તે તેનાથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. કેઈપણ કથન અથવા વિચાર નિરપેક્ષ સ્થિતિમાં સત્યા-મક નથી થઈ શકતો ભત્ય હોવાને માટે તેણે પિતાનાથી બીજા વિચાર–પક્ષની અપેક્ષા રાખવી જ પડે છે. સાધારણ જ્ઞાન, વસ્તુના કેટલાક ધર્મો–બાજુ સુધી જ સીમિત રહે છે. કેવળજ્ઞાનની સ્થિતિમાં જ્ઞાનના પરિપૂર્ણ હવા માત્રથી જ વસ્તુના અનન્ત ધર્મોનું જ્ઞાન થવું સંભવે છે. બીજા શબ્દોમાં કેવળજ્ઞાન જ વસ્તસ્વરૂપને સમગ્રરૂપે સાક્ષાત્કાર કરી શકે છે. આ પૂર્ણ જ્ઞાનને જ જૈન સંસ્કૃતિમાં પ્રમાણ માનવામાં આવ્યું છે. એના કરતાં બીજાં બધાં પ્રકારનાં જ્ઞાન અપૂર્ણ તથા સાપેક્ષ છે. સાપેક્ષ સ્થિતિમાં જ તે સત્ય હોઈ શકે છે, નિરપેક્ષ સ્થિતિમાં નહીં. હાથીને થાંભલા જે બતાવનાર આંધળે માણસ પોતાના દષ્ટિબિંદુથી સાચે છે, પરંતુ હાથીને દોરડા જેવું કહેનાર બીજા માણસની અપેક્ષાએ તે સાચો હોઈ શકે નહિ. હાથીનું સમગ્ર જ્ઞાન કરવા માટે હાથીનું જ્ઞાન કરાવનારી બધી દષ્ટિઓની અપેક્ષા રહે છે. આ જ અપેક્ષાદષ્ટિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org